SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) પ્રભુશ્રી–પ્રશ્ન બહુ સારે કર્યો છે.... એક વાત છે. રાક્ષસવિદ્યા સાધીને એક વિદ્યારે એક બેટનું આખું ગામ ઉજજડ કરી નાખ્યું. ત્યાં ત્રણ વણિક પુત્રો વહાણ લઈ આવી ચઢ્યા, તેમને એક અંદર શહેરમાં ગયે. પણ કઈ જણાયું નહીં. માત્ર એક રાજકુંવરી હતી. તેની મારફતે તેણે બધી વિગત જાણું. ત્યાં એક તરવાર હતી, તે તેણે લીધી અને જ્યારે રાક્ષસ વિદ્યાધર આવ્યો ત્યારે તરવારથી તેને મારી નાખે. મરતાં મરતાં તે નવકાર મંત્ર છે. તેથી તે શ્રાવકપુત્રને પસ્તા થયે કે મેં મારા ધર્મબંધુને જ ઘાત કર્યો. તેણે તેની પાસે ક્ષમા માગી. તેણે કહ્યું કે કેને વશ થઈને મેં આ બધું નગર ઉજાડી મૂક્યું છે. પણ હું શ્રાવક છું. કેધનાં ફળ માઠાં છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે તે ખરું છે. કહેવાની મતલબ એ હતી કે આવાં પાપકર્મ કરનારને પણ છેવટે મરતાં મરતાં જે શ્રદ્ધા હતી તે પ્રમાણે સ્મરણ કરવાનું સૂઝયું. તે પહેલેથી પુરુષાર્થ કરી મૂક્યો હશે તે છેવટે કામમાં લાગશે. ક્ષણે ક્ષણે જીવ મરી રહ્યો છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહે ! રાચી રહે?” ભગવાને કહ્યું છે કે સનઈ જોયમ મા વાણ, તે ક્ષણે ક્ષણે મૃત્યુને સંભારવા ગ્ય છે. જે આમ મરણની તૈયારી કરી હશે તો કામ લાગશે, આખરે આવીને હાજર થશે. “જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.” આત્મજ્ઞાન શાથી થાય? આત્મજ્ઞાનીના પરિચયથી. સત્સંગ સદુધની કચાશ છે.
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy