SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ સમાધિ-સાધના છે. વેદની, રોગ, મરણ કેઈ મારાં નથી. એને જેનાર જાણુનાર જુદો પડ્યો-ભેદવિજ્ઞાનથી. કર વિચાર તે પામ. રેગ તે જ્ઞાની અજ્ઞાની બન્નેને ભેગવ્યે જ છૂટકે છે, પરંતુ જ્ઞાની કહે છે કે આથી બમણ વેદની આવને, તારા ઘરમાં હું રહીશ ત્યારે ને? ક્ષમા, સહનશીલતા, સંતોષ, ધીરજ, સમતા એ આત્માના સુંદર ઘરમાં હું રમણ કરીશ, પછી વેદની મને શું કરવાની છે? જ્ઞાની ભેદજ્ઞાનથી પરમાં પરિણમી જતા નથી પરંતુ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી રહે છે, જ્યારા ને ન્યારા રહે છે. પાંડવોને શત્રુંજ્ય પર્વત ઉપર શત્રુઓએ લેઢાનાં તપાવેલાં બખ્તરે પહેરાવ્યાં; ભયંકર ઉપસર્ગ કર્યા. પરંતુ પાંડ દેહાધ્યાસ છોડી આત્મધ્યાનમાં તલ્લીન રહ્યા. આત્મધ્યાનમાં અચળ રહ્યા અને શિવપદને પામ્યા, પાંડવોએ શું “આત્મ પિતાને છે, તે તે અજર, અમર, દેહાદિ કર્મ-કર્મથી ભિન્ન, જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાનદર્શન ઉપગમય, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવવાળે છે અને ઉપસર્ગ આદિ તે શરીરને થાય છે, આત્માને અને તેને આકાશ અને ભૂમિના જેટલું છેટું છે.” એમ ભેદજ્ઞાનથી આત્મધ્યાનમાં અચળ રહ્યા. | આપણું ઉપર પણ એવા ઉપસર્ગો આવશે મરણ તે એક કાળે બધાને આવશે. તે તે માટે તૈયાર થઈ જવું. ભેદજ્ઞાનને અભ્યાસ કરે. સેનાને ગમે તેટલું અગ્નિમાં તપાવે તે પણ સેનાપણું જતું નથી. તેમ જ્ઞાનીને રેગ, દુઃખ, કષ્ટ, ઉપસર્ગ,
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy