SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ–સાધના મરણુ આદિના ગમે તેટલા તાપ આવી પડે તેા પણ પેાતાના જ્ઞાન–સ્વભાવ તે તજતા નથી. ૬૫ અવળું કર્યું ત્યાં જગત દેખાયું, સવળું કર્યું ત્યાં આત્મા જોવાયા. જે દેખાય છે, તે બધુ પર છે. ભળાય છે તેને માન્યું છે એ જ અવળી વૃષ્ટિ દૃષ્ટિ કરે તે બધાને જાણુનાર દેખનાર એવા જે આત્મા તેના ઉપર દૃષ્ટિ જાય. ત્યાં પરપદાર્થોમાં મારું મારું થઈ ગયું છે, તે ટળે. જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાંથી ઊઠી જવું પડશે. મારે એક આત્મા છે—તે સિવાય જગતમાંની વસ્તુઓમાંથી એક પરમાણુ પણુ મારું નહીં. વિભાવ તે દુશ્મન છે. સ્વભાવ તે મિત્ર છે. વિભાવ પ્રત્યે ઝેર વર્તવું જોઈએ. અનાદિથી અહિતના કરનાર તેમને મિત્ર માન્યા. તે જ ભૂલ છે. હવે તે દુશ્મન છે એમ જાણી તેમના પ્રત્યે અંતરથી ઝેર રાખવા ચેાગ્ય છે. આત્મા ઉપર પ્રેમભાવ વધારી દેવા જોઈએ. તેનું માહાત્મ્ય લાગ્યું નથી. સમજ મોટી વાત છે. સમજ આવ્યે આ ઝેર અને આ અમૃત એમ જણાય. પછી અમૃતને મૂકી ઝેરને કાણુ ગ્રહણ કરે? આ જડ અને આ ચેતન એમ જ્ઞાનીને ભેદ પડી ગયા છે. આત્માનું સુખ કચ્ચું જાય તેમ નથી. મરણ, વેદની તા અવશ્ય બધાને આવશે જ. ત્યાં આટલેા લક્ષ રહે તેા કામ થઈ જાય. વેદની આવે છે તેથી હજાર ગણી આવે. જે આવે છે તે જાય છે. બાંધેલાં કર્મ આવીને છૂટ છે. તેને જોનાર પ
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy