SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ-સાધના ૨૨૧ જેણે મન વચન કાયાની નિર્મલતા અથવા પ્રાયશ્ચિત્તાદિકથી પ્રાપ્ત થયેલ વિશુદ્ધિરૂપી અમૃતથી યથેષ્ઠ સ્નાન કર્યું છે એવા આ સાધકે સ્વસ્થ થઈને મન વચન કાયાની ચંચળતા છોડીને સમાધિને માટે પૂર્વદિશા અથવા ઉત્તરદિશા તરફ પોતાનું શિર રાખીને સૂવું. પછી મહાવ્રતની ઈચ્છાવાળા સાધકને નિર્યાપક આચાર્યું સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ નગ્ન વ્રત આપવાં જોઈએ. જે પુરુષ મહાવ્રત ધારણ કરીને મેક્ષ પ્રાપ્ત કરી શકે છે, તેને લંગોટી માત્રમાં મમત્વ પરિણામ હોય તે તે ઉપચરિત મહાવ્રતને અગ્ય ગણાય છે. જ્યારે મહાવ્રત ધારણ ન કરી શકે એવી સ્ત્રી મેટી સાડી રાખવા છતાં તેમાં મમત્વ ન રાખે તે ઉપચરિત મહાવ્રત ધારણ કરી શકે છે. મોક્ષની ઈચ્છાવાળા સાધકે બાહ્ય લિંગને આગ્રહ છેડીને કેવળ આત્મદ્રવ્યને આશ્રય ગ્રહણ કરે જોઈએ. જીવને શરીર એ જ સંસાર છે, ક્ષેત્રાદિક સંસાર નથી; કારણ કે શરીર ધારણ કરવાથી પંચ પરાવર્તનરૂપ સંસારમાં પરિભ્રમણ થાય છે. જેમાં બ્રાહ્મણ આદિ જાતિ શરીરને આશ્રયે છે, તેમનગ્નપણું આદિ પણ શરીરને આશ્રયે છે. માટે મેહનીયકર્મને ક્ષય કરવાવાળા સાધકે બ્રાહ્મણત્વ આદિ જાતિની માફક, નગ્નપણાદિ ચિહ્નમાં આગ્રહ છોડીને કેવળ શુદ્ધ ચિપમય પિતાના આત્મામાં મગ્ન થવું જોઈએ. પદ્રવ્યનું ગ્રહણ એ જ બંધનું કારણ છે. માટે આત્મદ્રવ્યનું જ ગ્રહણ કર્તવ્ય છે. આ આત્મા શરીરાદિ પરદ્રવ્યોને ગ્રહણ કરવાથી જ
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy