SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ-સાધના અંત:કરણમાં પ્રગટે છે. હું સ્વરૂપાનંદમય છું, હું નિર્મળ, અખંડ અને સર્વ પ્રકાશક જ્ઞાનવાળા છું; ઇંદ્ર ચંદ્રાદિકની સંપત્તિ તેા નાશવંત છે અને હું તેા અવિનાશી અનંત પર્યાયવાળી સહજામ સંપત્તિથી યુક્ત છું. આવી રીતે આત્મસ્વરૂપના જ્ઞાનથી યુક્ત મહાત્માને પેાતાના આત્મામાં જ સર્વ સંપત્તિએ ભાસે છે, પણ માહ્ય વિષયામાં પ્રવર્તતી ઇંદ્રિયાના રાધ થાય ત્યારે જ તે ભાસે છે. ઇંદ્રિયાના નિરાધ વિના તે આત્મસંપત્તિ જણાતી જ નથી. ૯૮ આત્મસ્વરૂપના જ્ઞાનનો અનુભવ સુખમાં લીન થયેલા મહાત્માને ક્રીડા કરવા માટે સમાધિરૂપી નંદનવન છે, ધૈર્યરૂપી વજ્ર છે, સમતારૂપી ઇંદ્રાણી છે અને જ્ઞાનરૂપી મેટું વિમાન છે. આ પ્રમાણે ઇંદ્રની સર્વ સમૃદ્ધિ તેને પ્રગટ છે. ર તત્ત્વરસિક સાધક અશાતાદિક દુઃખમાં ટ્વીન થતા નથી, કેમ કે કર્મ કરતી વખતે વિચાર કર્યો નહી તે હવે તીવ્ર રસવડે બંધાયેલા કર્મના ઉદયમાં દીનતા શી કરવી ? એમ સમજે છે. તેમજ શાતાદિક સુખને પામીને વિસ્મિત કે હર્ષિત થતા નથી. કેમ કે એ પણ શુભ કર્મના વિપાક છે એમ સમજે છે. શાતા અશાતા અને શુભાશુભ કર્મનાં ફળ ભોગવતાં સમતા રાખી પૂર્વકર્મની નિર્જરા કરે છે. ઉત્કૃષ્ટ એવું બ્રહ્મ ઇંદ્રિયાને ગાચર નથી, તેથી વિશુદ્ધ અનુભવ વિના અનેક શાસ્ત્રોના અવમેધથી પણ તે પ્રાપ્ત થતું નથી. આત્મઅનુભવ અવસ્થામાં માઠુ નહીં હાવાથી સુષુપ્તિ અવસ્થા હાતી નથી. સંકલ્પ વિકલ્પના પણ અભાવ હાવાથી
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy