SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ સાધના ક્ષાને સારી રીતે ત્યાગી દઈશ, અને નિર્વિજ્ઞપણે સ્વાત્મામાં દેદીપ્યમાન થઈશ અર્થાત્ પરદ્રવ્યની આકાંક્ષા છેાડીને કેવલ સ્વાત્મામાં લીન થઈ જઈશ તા તું નિશ્ચયથી મેાક્ષના સાક્ષાત્ કારણ એવા તપમાં સ્કુરાયમાન થઈશ. આ સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યકૂચારિત્ર અને સમ્યક્ તપરૂપ ચાર આરાધનામાં મગ્ન થયેલા હે સુવિદ્યુિત શિરારત્ન ! અર્થાત્ સમાધિરૂપી ચૂડામણિને ધારણ કરનાર ! હવે તું જીવન, ધન, આદિની આકાંક્ષાના ત્યાગ કરવાથી અંતરંગ અને માહ્ય પરિગ્રહ રહિત થઈને સમતા વા પરમ સામાયિકરૂપ પરિગ્રહથી સુશેાભિત થયા છે, અર્થાત પરમ સામાયિકમાં લીન થયા છે, માટે ધ્યાતા, ધ્યાન, ધ્યેય આદિ વિકલ્પાથી રહિત નિર્વિકલ્પ સમાધિમાં નિમગ્ન થઈને આનંદરૂપ અમૃતનું પાન કર. આ આત્મા સદા પોતાનામાં જ અભિલાષા કરતા રહેતા હાવાથી સદા અભીષ્ટ પદાર્થોને જાણે છે અને પેાતાનું હિત કરવામાં સદા તત્પર રહે છે એટલા માટે આત્માં જ આત્માના ગુરુ છે. એ પ્રમાણે નિશ્ચયથી પેાતાના શુદ્ધ આત્માને, અને વ્યવહારથી પરમકૃપાળુ જ્ઞાની સદ્ગુરુ નિર્યાપક આચાર્યને જેણે પોતાના આત્મા સમર્પણ કરી દીધા છે તે મહાભાગ્ય આરાધક સર્વોત્તમ આત્મધ્યાનમાં મગ્ન થઈ પરમ શ્રેયપદ ધિ અને સમાધિથી વિભૂષિત થઈ પરમપદ પ્રત્યે ગમન કરે છે. ૮૩
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy