________________
સમાધિ-સાધના
પ્રણિપાત સ્તુતિ અહે! અહે! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામરપર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્ , એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પાપે દુખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ; . જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખેને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરુષને મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં