________________
સમાધિ-સાધના
તત્ત્વના વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં યા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મૈં આળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યા, આથડ્યો, રઝળ્યા અને અનંત સંસારની વિટંખનામાં પડ્યો છું. હું પાપી છું; હું બહુ માન્મત્ત અને કર્મરજથી કરીને મિલન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારા મેાક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું; અજ્ઞાનથી અંધ થયે। છું; મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણુ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોના હું હુવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કાર મારા સ્વરૂપના પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી અને શૈલેાક્યપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહારાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ
—શ્રીમદ્ રાજચંદ્ર
૧૮૭