________________
૪૦
સમાધિ-સાધના
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈ પણ સંબંધ નહોતે એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે.
તિથિ આદિને વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે.
શુદ્ધ સહજ આત્મસ્વરૂપ
(૩૮૦)
૧૧. સમદશા જેને કઈ પણ પ્રત્યે રાગદ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર.
પરમાગી એવા શ્રી કષભદેવાદિ પુરુષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે
એ કે, તેને સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણું, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મ-મરણને ફેરે ન રહે. તે દેહ છેડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષને નિશ્ચય છે.
કંઈ પણ મન, વચન, કાયાના વેગથી અપરાધ થયે હોય જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું.
આ દેહે કરવા યોગ્ય કાર્ય તે એક જ છે કે કેઈ પ્રત્યે રાગ અથવા કેઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે.