________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૧ બધા આત્માથી ભિન્ન છે; અને નિમિત્તની મુખ્યતાથી પુદગલમય છે-એમ કહેલ છે; વિકાર રાખવા માટે ભિન્ન કહેલ નથી.
ગો—ટસારમાં આવે છે કે-દર્શનમોહના ઉદયથી મિથ્યાભાવ થાય છે. ત્યાં આત્મા પોતે મિથ્યાત્વભાવ કરે છે એમાં દર્શનમોહ નિમિત્ત છે એમ કહેવું છે; પણ અહીં તો કહે છે કે આત્માથી રાગાદિને ભિન્ન અને પુદગલમય કેમ કહેલ છે? કે રાગાદિને છોડાવવા માટે તે રાગાદિને નિમિત્તની મુખ્યતાથી-એટલે વિકારમાં નિમિત્ત કર્મ છે એની મુખ્યતાથી કથન કરીને-રાગાદિ ઉપાધિભાવને આત્માથી ભિન્ન અને પુદ્ગલમય કહેલ છે.
હવે કહે છે કે-જેમ વૈધનો હેતુ રોગ મટાડવાનો છે, તે જો શીતની અધિકતા દેખે તો રોગીને ઉષ્ણ ઔષધિ બતાવે તથા ઉષ્ણતાની અધિકતા દેખે તો તેને શીત
ઔષધિ બતાવે, તેમ શ્રી ગુરુ વિકાર છોડાવવા માગે છે. હવે જે રાગાદિને પરના માની સ્વછંદી બની નિવમી થાય તેને તો ઉપાદાન કારણની મુખ્યતાથી “રાગાદિક આત્માના છે” એવું શ્રદ્ધાન કરાવ્યું, તથા જે રાગાદિને પોતાનો સ્વભાવ માની તેના નાશનો ઉદ્યમ કરતો નથી તેને નિમિત્તકારણની મુખ્યતાથી “રાગાદિ પરભાવ છે” એવું શ્રદ્ધાન કરાવ્યું છે.
વિભાવભાવના નાશનો ઉદ્યમ કરવો યોગ્ય છે અહીં અજ્ઞાની ગોટો વાળે છે કે-રાગાદિ આત્માના છે અને પુદગલના પણ છે. તો તે વાત બરાબર નથી. ખરેખર તો રાગાદિ ઉપાધિભાવ તો આત્માના જ છે, પણ છોડાવવા અર્થે પુદગલના કહેલ છે એમ સમજવું જોઈએ. હવે, રાગાદિ આત્માના પણ છે અને પુગલના પણ છે; એ બન્ને વિપરીત શ્રદ્ધાન છે. એનાથી રહિત જે થાય છે તે આત્મા એમ માને કે- આ રાગાદિભાવ આત્માનો સ્વભાવ તો નથી પણ કર્મના નિમિત્ત વખતે આત્મામાં પોતે પોતાના અપરાધથી રાગાદિ કરે છે ત્યારે તે વિભાવપર્યાય થાય છે. તે આત્મા પોતે નૈમિત્તિક વિકાર ન કરે તો તે સમયે કર્મ નિમિત્ત કહેવાતું નથી. માટે અહીં કહેલ છે કે તે નિમિત્ત મટતાં તેનો નાશ થતાં સ્વભાવભાવ રહી જાય છે. અહીં વિભાવભાવ છે ત્યારે ત્યાં સામું કર્મનું નિમિત્ત છે, અને અહીં વિભાવ હોતો નથી ત્યારે તે નિમિત્ત પણ નથી. માટે વિભાવભાવના નાશનો ઉધમ કરવો યોગ્ય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com