________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૨૧૪ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો છે કે જાણી લે છે કે આ આત્માની સાથે મારે પૂર્વે સંબંધ હતો. આ નિર્ણય કયાંથી થયો ? જ્ઞાનની તાકાત એવી છે. ઋષભદેવ ભગવાનને અને શ્રેયાંસકુમારને પૂર્વે આઠમા ભવમાં સંબંધ હતો. તે વર્તમાન જ્ઞાનમાં જાતિસ્મરણથી નિર્ણય આવ્યો. જ્ઞાનની પર્યાયમાં આત્મા દેખાતો નથી, અને પૂર્વનું શરીર પણ વર્તમાનમાં નથી. કોઈ મિથ્યાદષ્ટિને પણ જાતિસ્મરણજ્ઞાન હોય છે. તે પણ જાણી લે છે-કે ત્રીજા ભવમાં આ જીવ સાથે સંબંધ હતો.-એવી જ્ઞાનની સ્વતંત્ર-નિરાલંબન તાકાત છે. તો પછી સમ્યગ્દષ્ટિ, સામો આત્મા સમ્યગ્દષ્ટિ છે એમ જાણી લે, તેમાં શી નવાઈ ? એવું જ્ઞાનનું સહજ સામર્થ્ય છે.
જે કોઈ એમ કહે કે આત્માને જાણી શકાય નહિ, સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિની ખબર પડે નહિ, ભવ્ય-અભવ્યની ખબર પડે નહિ, તો તેને જ્ઞાનના સામર્થ્યની ખબર નથી. જ્ઞાન સ્વ-૫૨પ્રકાશક છે. તે આત્માને અને પરને ન જાણે –એમ બને નહિ. પોતાના જ્ઞાનના સામર્થ્યનો ભરોસો એને નથી. લબ્ધિના અધિકારમાં વાત લીધી છે. એમાં કહેલ છે કે ચૌદપૂર્વનું જ્ઞાન જેને છે એવા જ્ઞાની જે ન્યાય કાઢે એવો ન્યાય સમ્યગ્દષ્ટિ કાઢે, એટલું સામર્થ્ય છે. તેથી જ્ઞાનીને દ્રવ્યલિંગીનું અન્યથાપણું ભાસે છે. હવે દ્રવ્યલિંગીને ધર્મસાધન કેવાં છે તથા તેમાં અન્યથાપણું કેવી રીતે છે તે કહે છે.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com