________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ર૬૯ અસત્ય છે તો અમે વ્રત-તપ છોડી દઈશું! તો તેનું સમાધાન શું છે? તે હવે કહેશે.
પ્ર. વૈશાખ સુદ ૭ સોમવાર, તા. ૨૦-૪-૫૩ વ્યવહારને હેય કહ્યો ત્યાં કોઈ નિર્વિચાર અજ્ઞાની એવો પ્રશ્ન કરે છે કે – તમે વ્યવહારને તો અસત્ય અને હેય કહો છો. તો અમે વ્રત-તપ-સંયમ વગેરે વ્યવહાર કર્મ શા માટે કરીએ? તે સર્વને છોડી દઈશું? વ્રતાદિક વ્યવહાર નથી. પણ વ્રતાદિને મોક્ષમાર્ગ
માનવો તે વ્યવહાર છે. ઉત્તર- અરે ભાઈ ! અમે વ્રતાદિને ક્યાં વ્યવહાર કહ્યો છે? વ્રતાદિ તો કાંઈ વ્યવહાર નથી; પણ તે વ્રતાદિને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે, માટે તેની શ્રદ્ધા છોડ. વ્રતાદિને વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો છે પણ તે ખરેખર મોક્ષમાર્ગ નથી-એવી શ્રદ્ધા કરવી તેનું નામ વ્યવહારનું હેયપણું છે. માટે તું વ્રતાદિને મોક્ષમાર્ગ માનવાનું છોડી દે; પણ તે વ્રતાદિને છોડીને જો અશુભભાવ કરીશ તો પાપ થશે, ને ઊલટો નરકાદિમાં જઈશ. વ્રતપર્યાય પોતે કાંઈ વ્યવહાર નથી પણ તે વ્રતપર્યાયમાં મોક્ષમાર્ગનો આરોપ કરવો તે વ્યવહાર છે, માટે તેને મોક્ષમાર્ગ માનવાની શ્રદ્ધા છોડ. મોક્ષમાર્ગમાં વચ્ચે ભગવાનની ભક્તિ, નિઃશંકતા વગેરે આઠ આચાર, વ્રતતપ વગેરે શુભભાવ આવે છે, તે નીચલી ભૂમિકામાં છુટશે નહિ, શુદ્ધોપયોગ થાય ત્યારે જ તે શુભરાગ છૂટે; માટે તે પરિણતિ હોય ત્યાં સુધી તેને નિશ્ચયથી પોતાની જાણ, પણ તેને મોક્ષમાર્ગ ન જાણ. વ્યવહાર છોડવો એટલે શું? કે વ્રત વગેરેના રાગાદિને મોક્ષમાર્ગ ન માનવો. વ્રતાદિને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે; અને તે વ્રતાદિને મોક્ષમાર્ગ ન માનવો પણ વ્રતને વ્રત તરીકે જ જાણવા તે નિશ્ચય છે. તે આત્માની જ અશુદ્ધપરિણતિ છે. અહીં તો નિશ્ચય-વ્યવહારની એવી શૈલી છે કે પોતાના ભાવને પોતાનો કહેવો તે નિશ્ચય છે ને પોતાના ભાવને બીજાનો કહેવો તે વ્યવહાર છે. વ્રતાદિનો રાગભાવ તે ખરેખર મોક્ષમાર્ગનો ભાવ નથી પણ બંધમાર્ગનો ભાવ છે; છતાં તે ભાવને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે. તે માન્યતા છોડીને યથાર્થ વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com