Book Title: Moksh marg prakashak kirano Part 2
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 312
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] | [301 શુભભાવ કરે તો પણ કલ્યાણ નથી; કેમકે સંસારનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી. સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થયો, અને જીવની એટલી શુદ્ધ પરિણતિ થઈ કે તે જીવને 41 કર્મપ્રકૃતિઓનો તો બંધ થતો જ નથી, ને પૂર્વકર્મની સ્થિતિ અંતઃક્રોડાકોડી સાગર જ રહે છે, તથા ઘાતિકર્મો વગેરેમાં અનુભાગ પણ અલ્પ જ રહી જાય છે. જુઓ આ સમ્યગ્દર્શનનો પ્રતાપ! સમ્યગ્દર્શન થતાં અલ્પકાળમાં અવશ્ય મોક્ષપદ પામે છે ને મિથ્યાત્વવાળા જીવને ગમે તેવા ઉપાય કરવા છતાં પણ મોક્ષ થતો નથી. માટે હરકોઈ ઉપાય વડે પણ સર્વ પ્રકારથી એ મિથ્યાત્વનો નાશ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું યોગ્ય છે-આ ઉપાયથી જીવનું કલ્યાણ થાય છે. એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણોમાં જૈનમતવાળા મિથ્યાદષ્ટિઓનું નિરૂપણ કરવાવાળો સાતમો અધિકાર પૂર્ણ થયો. સમાસ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 310 311 312