________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
૨૯૯ પ્રમાણ કાળ રહે છે. તેના પરિણામની દશા વચન દ્વારા કહી શકાતી નથી. અહીં સૂક્ષ્મકાળમાત્ર કોઈ જાતિના કેવળજ્ઞાનગમ્ય પરિણામ હોય છે તથા અનંતાનુબંધીનો ઉદય થાય છે, પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી. તેનું સ્વરૂપ આગમપ્રમાણથી જાણવું. વળી કોઈ જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિશ્રગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. ત્યાં તેને મિશ્રમોનીયનો ઉદય થાય છે. તેનો કાળ મધ્યમ અંતર્મુહુર્ત માત્ર છે. તેનો કાળ પણ થોડો છે એટલે તેના પરિણામ પણ કેવળજ્ઞાનગમ્ય છે. અહીં એટલું ભાસે છે કે-જેમ કોઈને શિક્ષા આપી તેને તે કંઈક સત્ય અને કંઈક અસત્ય એક કાળમાં માને છે તેમ આને તત્ત્વોને શ્રદ્ધાન-અશ્રદ્ધાન એક કાળમાં હોય છે, તે મિશ્રદશા છે.
સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થઈને જે જીવ અજ્ઞાની થયો ને નિગોદમાં ગયો છે, તેની દશા પણ અનાદિ અજ્ઞાનીના જેવી થઈ જાય છે. હા, તેને સંસાર પરિમિત થઈ ગયો છે. પણ વર્તમાનમાં તો તેને મિથ્યાજ્ઞાન જ છે. સમ્યકત્વ પામીને પછી ભ્રષ્ટ થયો તેના જ્ઞાનને “મિથ્યાજ્ઞાન' ન કહેવાય-એમ નથી. સમ્યગ્દર્શન પામનારની દૃષ્ટિ તો સ્વભાવસનુખ જ છે. તેના સમય સમયના સૂક્ષ્મ પરિણામ છમસ્થ પકડી ન શકે.
- ત્રીજું મિશ્રગુણસ્થાન છે; પણ ત્યાં મિશ્રનો અર્થ એવો નથી કે સાચા દેવગુરુને પણ માને અને કુદેવ-કુગુરુને પણ માને. કુદેવ-કુગુરુને માને તે તો પ્રત્યક્ષ મિથ્યાદષ્ટિ જ છે.
પ્રશ્ન- “અમારે તો જિનદેવ વા અન્યદેવ બધાય વંદન કરવા યોગ્ય છે – ઈત્યાદિ મિશ્રશ્રદ્ધાનને મિશ્રગુણસ્થાન કહે છે?
ઉત્તર- ના, એ તો પ્રત્યક્ષ મિથ્યાત્વદશા છે; વ્યવહારરૂપ દેવાદિકનું શ્રદ્ધાના થતાં પણ મિથ્યાત્વ રહે છે; તો આ તો દેવ-કુદેવનો કાંઈ નિર્ણય જ નથી, એટલે આને તો પ્રગટ વિનયમિથ્યાત્વ છે એમ માનવું.
હુજી સાચા દેવ-ગુરુને માને છતાં પણ જો અંતરમાં આત્માની નિર્વિકલ્પ શ્રદ્ધા ન હોય તો તે મિથ્યાષ્ટિ જ રહે છે; તેને પણ મિશ્રગુણસ્થાન નથી કહેતા, તો પછી જેને હજી સાચા સર્વજ્ઞદેવ અને કુદેવ વચ્ચેનો વિવેક નથી, ને બધાને સરખા માને છે, તે તો વિનયમિથ્યાદષ્ટિ છે. તેને મિશ્રગુણસ્થાન નથી, પણ ચોકખું પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com