________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૭૭ તો દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિ ઉત્કૃષ્ટ શુભભાવ કરીને નવમી રૈવેયકે જાય છે છતાં તેને તે શુભરાગ કિંચિત્ પણ શુદ્ધનું કારણ થતો નથી. માટે શુભરાગ તે શુદ્ધનું કારણ નથી. કોઈવાર ભાવલિંગી મુનિ પહેલાં સ્વર્ગ જાય ને દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિ શુભથી ઠેઠ નવમી રૈવેયકે જાય, પણ તેને તે શુભના કારણે શુદ્ધતા કાંઈ પણ થતી નથી. માટે શુભ અને શુદ્ધને ખરેખર કારણ-કાર્યપણું નથી.
જેમ કોઈ રોગીને ઘણો રોગ હતો અને પાછળથી અલ્પ રોગ રહ્યો. ત્યાં એ અલ્પરોગ કાંઈ નિરોગ થવાનું કારણ નથી; હું એટલું ખરું કે અલ્પ રોગ રહે ત્યારે નીરોગ થવાનો ઉપાય કરે તો થઈ જાય, પણ કોઈ જો એ અલ્પ રોગને જ ભલો જાણી તેને રાખવાનો યત્ન કરે તો તે નીરોગ કેવી રીતે થાય? તેમ કોઈ કપાયીને તીવ્રકષાયરૂપ અશુભોપયોગ હતો, પાછળથી મંદકષાયરૂપ શુભોપયોગ થયો. હવે એ શુભોપયોગ કાંઈ નિષ્કષાય શુદ્ધોપયોગ થવાનું કારણ નથી. હા એટલું ખરું કેશુભોપયોગ થતાં શુદ્ધોપયોગ, જો યત્ન કરે તો, થઈ જાય; પણ કોઈએ શુભોપયોગને જ ભલો જાણી તેનું જ સાધન કર્યા કરે તો શુદ્ધોપયોગ ક્યાંથી થાય? બીજુ મિથ્યાષ્ટિનો શુભોપયોગ તો શુદ્ધોપયોગનું કારણ છે જ નહિ, પણ સમ્યગ્દષ્ટિને શુભોપયોગ થતાં નિકટ શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે એવા મુખ્યપણાથી કોઈ ઠેકાણે શુભોપયોગને પણ શુદ્ધોપયોગનું કારણ કહીએ છીએ. એમ સમજવું.
શુદ્ધોપયોગ તો સ્વભાવમાં એકાગ્ર થાય ત્યારે જ થાય છે. શુભ તો પરના લક્ષે થાય છે. આખી દષ્ટિ પલટી જાય ત્યારે શુદ્ધોપયોગ થાય છે. મિથ્યાષ્ટિને તો શુદ્ધોપયોગ થતો જ નથી, એટલે તેને તો શુભોપયોગ ઉપચારથી પણ શુદ્ધનું કારણ કદી થતો નથી. સમ્યગ્દષ્ટિને સ્વભાવની દષ્ટિ તો વર્તે છે, અને શુભને તોડીને નિકટમાં જ શુદ્ધોપયોગની પ્રાપ્તિ થવાની છે તે અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને કોઈ ઠેકાણે શુભ તે શુદ્ધનું કારણ કહીએ છીએ.
નિશ્ચય-વ્યવહાર રત્નત્રય સંબંધી અજ્ઞાનીનો ભ્રમ વળી આ જીવ પોતાને નિશ્ચય-વ્યવહારરૂપ મોક્ષમાર્ગનો સાધક માને છે, ત્યાં પૂર્વે કહ્યા પ્રમાણે આત્માને શુદ્ધ માન્યો તે તો સમ્યગ્દર્શન થયું, તે જ પ્રમાણે જાણ્યો તે સમ્યજ્ઞાન થયું, તથા તે જ પ્રમાણે વિચારમાં પ્રવર્યો તે સમ્યફચારિત્ર થયું,-એ પ્રમાણે પોતાને નિશ્ચયરત્નત્રય થયું માને છે; પણ હું પ્રત્યક્ષ અશુદ્ધ છતાં શુદ્ધ કેવી રીતે માનું-જાણું-વિચારું છું! ઈત્યાદિ વિવેકરહિત માત્ર ભ્રમથી સંતુષ્ટ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com