Book Title: Moksh marg prakashak kirano Part 2
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 294
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ૨૮૩ માની લેતો નથી, પણ પોતે પોતાનો વિચાર ભેગો ભેળવીને મેળવણી કરે છે. જ્ઞાની પાસેથી સાંભળી લીધું પણ પછી ‘આ કઈ રીતે છે’ એમ પોતે તેના ભાવને ઓળખીને જાતે નિર્ણય ન કરે તો સાચી પ્રતીતિ થતી નથી. માટે કહ્યું કે જ્ઞાની પાસેથી તત્ત્વનો જે ઉપદેશ સાંભળ્યો તેને ધારણ કરી રાખે તે પછી એકાંતમાં વિચાર કરીને જાતે તેનો નિર્ણય કરે. ઉપદેશ સાંભળવામાં જ જે ધ્યાન ન રાખે ને તે વખતે બીજા સંસારના વિચારમાં ચડી જાય તેને તો તત્ત્વના નિર્ણયની દરકાર જ નથી. શું કહ્યું તે ધા૨ે પણ નહિ તો વિચાર કરીને અંતરમાં નિર્ણય કઈ રીતે કરશે ? જેમ ગાય ખાવા ટાણે ખાઈ લે છે ને પછી નિરાંતે બેઠી બેઠી તેને વાગોળીને પચાવે છે, તેમ જિજ્ઞાસુ જીવ જેવો ઉપદેશ સાંભળે તેવો બરાબર યાદ કરી લે અને પછી એકાંતમાં વિવેકપૂર્વક વિચાર કરી તેનો નિર્ણય કરે, ને અંતરમાં તેને પરિણમાવવાનો પ્રયત્ન કરે. યથાર્થ ઉપદેશ સાંભળવો, યાદ રાખવો, વિચાર કરવો અને તેનો નિર્ણય કરવો—એમ ચાર વાત મૂકી. તત્ત્વનો નિર્ણય કરવાની શક્તિ પોતામાં હોવી જોઈએ. આ જીવને એટલો જ્ઞાનનો ઉઘાડ તો થયો છે પણ તે જ્ઞાનને તત્ત્વનો નિર્ણય કરવામાં લગાવવું જોઈએ. સાંભળ્યા પછી પોતે એકલો પોતાના ઉપયોગમાં વિચાર કરે કે શ્રી ગુરુએ આમ કહ્યું તે કઈ રીતે છે! એ પ્રમાણે ઉપદેશ-અનુસાર પોતે જાણે નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે. માત્ર સાંભળ્યા જ કરે અને વાંચ્યા જ કરે પણ જાતે કાંઈ પણ વિચાર કરીને તત્ત્વનિર્ણયમાં પોતાની શક્તિ ન લગાવે તો તેને યથાર્થ પ્રતીતિનો લાભ થાય નહિ. તત્ત્વાર્થ-શ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે–એમ જ્ઞાનીએ ઉપદેશ આપ્યો ને પોતે સાંભળ્યો, પછી પોતે જાતે એકાંતમાં બેસી વિચાર કરે કે જીવાદિ સાત તત્ત્વો કહ્યાં તેનું સ્વરૂપ શું છે? તેના શ્રદ્ધાનને સમ્યગ્દર્શનનું લક્ષણ કહ્યું તે કઈ રીતે ઘટે છે? એમ જાતે નિર્ણય કરે. સાત તત્ત્વોની પરીક્ષા કરીને ઓળખે. ‘ સમ્યગ્દર્શન ’ એમ કહ્યું તે નામ થયું. ‘તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શન ’ એમ કહ્યું તે સમ્યગ્દર્શનનું લક્ષણ થયું. ‘જીવ’ એમ કહ્યું તે નામ થયું. ‘જ્ઞાનસ્વરૂપ જીવ છે' એમ કહ્યું તે જીવનું લક્ષણ થયું. એ પ્રમાણે તત્ત્વોનાં નામ જાણે તથા તેમનાં લક્ષણ જાણે. દેવ-ગુરુ-શાસ્ત્ર, મોક્ષમાર્ગ, ઉપાદાન-નિમિત્ત, સ્વ-૫૨, હિત-અહિત વગેરેનાં નામ તેમ જ લક્ષણ સાંભળીને જાણે તથા જાતે પરીક્ષા કરીને તેનો નિર્ણય કરે. જ્ઞાનીએ કહ્યું તે જ્ઞાની પાસે રહ્યું, પણ પોતે નિર્ણય ન કરે તો પોતાને તત્ત્વનો યથાર્થ લાભ થાય નહિ. માટે નામ અને લક્ષણ ઓળખીને નિર્ણય કરવો જોઈએ. સમ્યક્ચારિત્ર એ નામ. ત્યાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312