________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૨૮૭
જૈન ઉપદેશ અન્યથા ભાસે, તેમાં સંદેહ થાય, તો પણ ઉપર કહ્યા પ્રમાણે ઉદ્યમ કરે. એ પ્રમાણે ઉદ્યમ કરતાં ‘જેવો શ્રી જિનદેવનો ઉપદેશ છે તેમ જ સત્ય છે. મને પણ એમ જ ભાસે છે’–એવો નિર્ણય થાય છે; કારણ કે જિનદેવ અન્યથાવાદી નથી.
સનાતન દિગંબર જૈનમત સિવાય બધા અન્યમતી છે. સર્વજ્ઞ ભગવાનને રોગ થાય, ઝાડા થાય ને આહાર-દવા લે-એવું માને તે અન્યમતી છે. તે જૈનમતી નથી. દિગંબર સંપ્રદાયમાં રહીને પણ જે એમ માને કે વ્યવહાર કરતાં કરતાં ૫રમાર્થ પ્રગટશે, નિમિત્તના અવલંબને ધર્મ થશે-તો એમ માનનાર પણ અન્યમતી જેવો છે.
આઠ વર્ષે કેવળજ્ઞાન પામે ને પછી કરોડો અબજો વર્ષ સુધી શરીર રહે. આહાર-પાણી ન હોય છતાં એવું ને એવું શરીર રહે એવો ૫૨મ ઔદારિક શરીરનો સ્વભાવ છે; પણ તેમાં સંદેહ કરીને ભગવાનને આહારાદિ મનાવે તો તે મિથ્યાદષ્ટિ અન્યમતી છે. સનાતન સર્વજ્ઞ પરંપરામાં ભગવાન કુંદકુંદાચાર્ય, વી૨સેનાચાર્ય, સમંતભદ્રાચાર્ય વગેરે સંતોએ જે સ્વરૂપ કહ્યું છે તે જ યથાર્થ છે. તે પરંપરાથી વિપરીત મનાવે તો તે કલ્પિતમાર્ગ છે.
શુભરાગથી સંસાર પરિમિત થતો નથી
મુનિને આહાર દેવાથી મિથ્યાદષ્ટિને સંસાર પિરમિત થાય એમ મનાવે, સસલા વગે૨ે ૫૨જીવની દયા પાળવાના શુભરાગથી સંસાર પિરમિત થવાનું માનેમનાવે તો તે કલ્પિત તત્ત્વ છે. જૈનમાર્ગ નથી. મિથ્યાદષ્ટિને અનંતાનુબંધી રાગદ્વેષ પડયા છે. તેને દયા-દાનના શુભરાગથી પરિમિત સંસાર થાય નહિ. સમ્યગ્દર્શનથી જ સંસાર પરિમિત થાય છે. તેને બદલે રાગથી સંસાર પિરમિત થવાનું મનાવે છે તે વાત મિથ્યા છે. અહીં તો કહે છે કે તેવું માનનારા જૈનમતી નથી પણ અન્યમતી છે. આ પ્રમાણે તત્ત્વનો બરાબર નિર્ણય કરવો જોઈએ. સનાતન સત્ય માર્ગ મહાવિદેહમાં ચાલી રહ્યો છે. જેવો માર્ગ ત્યાં છે તેવો જ અહીં છે, ને જેવો અહીં છે તેવો જ ત્યાં છે. ભરત, ઈરવત ને મહાવિદેહ–બધે ઠેકાણે સનાતન વીતરાગમાર્ગ એક જ પ્રકારનો છે. તેનો જેવો ભાવ સર્વજ્ઞ ભગવાને કહ્યો છે તેવો જ ભાવ પોતાને ભાસવો જોઈએ, પોતાને ભાવભાસન સહિત પ્રતીતિ થાય તે જ યથાર્થ પ્રતીતિ છે. એક માખી પણ સાકર અને ફટકડીના સ્વાદનો ભેદ પાડીને વિવેક કરે છે ને સાકરનો સ્વાદ લેવા જાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com