________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના કિરણો પણ નિસર્ગજનો અર્થ એવો નથી કે જ્ઞાનીની દેશના વગર સમ્યકત્વ થઈ ગયું! નિસર્ગજ સમ્યકત્વવાળાને પણ એકવાર પૂર્વે જ્ઞાની પાસેથી દેશનાલબ્ધિ તો જરૂર મળી જ હોય છે. અહીં તો કહેવું છે કે તત્ત્વવિચારના અભ્યાસથી જીવ સમ્યગ્દર્શન પામે છે. સમ્યગ્દર્શન માટે મૂળ તો તત્ત્વવિચારનો ઉદ્યમ જ છે. જેને તત્ત્વનો વિચાર નથી અને દેવ-ગુરુ-વગેરેની પ્રતીત કરે છે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. વ્રતતપ વગેરે કરે છે, તો પણ તે જીવ સમ્યકત્વની સન્મુખ નથી, માટે તત્ત્વવિચારની મુખ્યતા છે.
ચૈતન્યની નિર્વિકલ્પઅનુભૂતિ તે જ સમ્યગ્દર્શન પહેલાં સ્વરૂપસન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય-આનંદનું વેદના થાય ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. તે સિવાય યથાર્થ પ્રતીતિ કહેવાય નહિ. અનુભૂતિ પહેલા તત્ત્વવિચાર કરીને દઢ નિર્ણય કરે; નિર્ણયમાં જ જેની ભૂલ હોય તેને તો યથાર્થ અનુભૂતિ ક્યાંથી થાય? ન જ થાય એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યકત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવનો મહિમા કરીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે.
સમ્યકત્વ સાથે દેવ-ગુરુ આદિની પ્રતીતિનો નિયમ છે વળી કોઈને તત્ત્વવિચાર હોવા છતાં પણ તત્ત્વપ્રતીતિ ન થવાથી સમ્યકત્વ તો ન થયું પણ માત્ર વ્યવહારધર્મની પ્રતીતિ-રુચિ થઈ જવાથી તે દેવાદિકની પ્રતીતિ કરે છે વા વ્રત-તપને અંગીકાર કરે છે. તથા કોઈને દેવાદિકની પ્રતીતિ અને સમ્યકત્વ એકસાથે થાય છે. તથા વ્રત-તપ સમ્યકત્વની સાથે હોય વા ન પણ હોય. પરંતુ દેવાદિકની પ્રતીતિનો તો નિયમ છે. એ વિના સમ્યકત્વ થાય નહિ. વ્રતાદિક હોવાનો નિયમ નથી. ઘણા જીવો તો પહેલાં સમ્યકત્વ થયા પછી જ વ્રતાદિક ધારે છે, તથા કોઈને એક સાથે પણ થઈ જાય છે.
નિમિત્તની અપેક્ષાએ અત્યારસુધી તત્ત્વવિચારની મુખ્યતાથી કથન કર્યું. હવે અંતરંગ ઊતરવા માટે તત્ત્વવિચારની પ્રધાનતાને પણ ઉડાડે છે.
કોઈને તત્ત્વવિચાર હોવા છતાં પણ તત્ત્વપ્રતીતિ ન થવાથી સમ્યકત્વ તો ન થયું પણ માત્ર વ્યવહાર ધર્મની પ્રતીતિ-રુચિ થઈ જવાથી તે દેવાદિકની પ્રતીતિ અને વ્રત-તપને અંગીકાર કરે છે. તત્ત્વપ્રતીતિ-અંતરંગ અનુભૂતિ ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com