________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ર૬૭ ને કેવળ વ્યવહારને જ સમજે છે તે ઉપદેશને લાયક નથી પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં કહે છે કે -
अबुद्धस्य बोधनार्थ मुनीश्वरा देशयन्त्यभूतार्थं । व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति।।६।। माणवक एव सिंहो यथा भवत्यनवगीत सिंहस्य।
व्यवहार एव हि तथा निश्चयतां यात्यनिश्चयज्ञस्य।। ७।।
અર્થ:- મુનિરાજ, અજ્ઞાનીને સમજાવવા અર્થે, અસત્યાર્થ જે વ્યવહારનય તેને ઉપદેશે છે. પરંતુ જે કેવળ વ્યવહારને જ જાણે છે તેને તો ઉપદેશ આપવો જ યોગ્ય નથી; વળી જેમ કોઈ સાચા સિંહને ન જાણતો હોય તેને તો બિલાડું જ સિંહ છે; તેમ જે નિશ્ચયને ન જાણતો હોય તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત થાય છે.
જુઓ, ખરેખર તો દ્રવ્યના આશ્રયે જ નિર્ણય થાય છે. વ્યવહાર દ્વારા કાંઈ પરમાર્થનો નિર્ણય થતો નથી; પણ નિર્ણય કરનારને તેવું નિમિત્ત હોય છે, અને ઉપદેશમાં વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. તેથી વ્યવહાર દ્વારા નિર્ણય કરવો એમ ઉપચારથી કહ્યું છે. પરંતુ જે વ્યવહારને જ વળગી રહે તેને તો ઉપદેશ આપવો જ યોગ્ય નથી. જેમ વચનગુપ્તિનો ઉપદેશ ચાલતો હોય કે “વચનગુતિ રાખવી;” ત્યાં કોઈ જીવ સામે એમ કહે કે જો વચનગુતિ રાખવાનું કહો છો તો તમે કેમ વચન બોલો છો ?–તો એમ કહેનાર જીવ સ્વચ્છંદી છે, તેને વ્યવહારની ખબર નથી, ને પરમાર્થની પણ ખબર નથી. તે જીવ ઉપદેશને લાયક નથી. તેમ ઉપદેશમાં પરમાર્થ સમજાવતાં વચ્ચે વ્યવહારકથન આવી જાય છે, ત્યાં જે જીવ વ્યવહારને જ સત્યભૂત માનીને તેની શ્રદ્ધા કરે છે, ને પરમાર્થને સમજતો નથી, તે જીવ ઉપદેશને લાયક નથી.
પહેલો વ્યવહાર-એમ માને તે જીવ ઉપદેશને પણ લાયક નથી. અરે ભાઈ ! પરમાર્થ બતાવવા અમે વ્યવહારથી કથન કર્યું હતું. તેને બદલે કેવળ વ્યવહારના અવલંબનથી જ જે લાભ માની લે છે તે જીવ પરમાર્થ સમજવાને તો લાયક નથી પણ ઉપદેશને માટે પણ લાયક નથી. અહો ! મુનિ કહે છે કે અમારે ઉપદેશમાં જે પરમાર્થ વસ્તુ સમજાવવી હતી તે તો સમજ્યો નહિ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com