Book Title: Moksh marg prakashak kirano Part 2
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 276
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [ ર૬૫ પ્ર. વૈશાખ સુદ ૬ રવિવાર, તા. ૧૯-૪-પ૩ નિશ્ચય અને વ્યવહારના વર્ણનનો અધિકાર ચાલે છે. વ્યવહારનય છે તે વસ્તુના યથાર્થ સ્વરૂપને નથી બતાવતો પણ ઉપચારથી અન્યથા નિરૂપણ કરે છે. અજ્ઞાની જીવ અનાદિથી વ્યવહારને જ યથાર્થ માને છે. વ્રતાદિના શુભરાગને ધર્મ માને છે તે મિથ્યા છે. વ્યવહારનય પરને ઉપદેશવામાં જ કાર્યકારી છે કે પોતાનું કાંઈ પ્રયોજન સાધે છે?—એમ પૂછ્યું છે. તેનો ઉત્તર કહે છે. પરને ઉપદેશ દેવામાં વ્યવહારનય આવે છે તે વાત તો કરી; હવે પોતાને માટેની વાત છે. ચૈતન્યવસ્તુ દેહાદિથી ભિન્ન છે, ને પોતાના ગુણોથી અભેદ છે, પણ દેહના સંયોગથી એકંદ્રિયજીવ-પંચેન્દ્રિયજીવ વગેરે કહીને વ્યવહારથી ઓળખાવ્યો છે. જીવ ચૈતન્યસ્વરૂપ, દેહથી ભિન્ન છે, એમ કહેતાં કોઈ અજ્ઞાની જીવ એવું સમજી જાય કે એવા તો સિદ્ધભગવાન જ છે. માટે તે જ જીવ છે. ને હું તો શરીરવાળો જ છું, તો તે પરમાર્થને સમજતો નથી. વ્યવહાર કહીને પણ જીવનું લક્ષ કરાવવું હતુંમાટે વ્યવહારકથન પ્રમાણે જ વસ્તુસ્વરૂપ ન સમજી લેવું. હવે પોતામાં પણ જ્યાં સુધી પોતે પરમાર્થ વસ્તુને ન સમજે ત્યાં સુધી હું જ્ઞાન છું, હું દર્શન છું” એમ વ્યવહારમાર્ગ દ્વારા વસ્તુનો નિર્ણય કરવો. વ્યવહારમાર્ગ એટલે શું? બહારના ક્રિયાકાંડની વાત નથી, પણ અંદર “હું જ્ઞાન છું' ઈત્યાદિ ભેદનો વિકલ્પ ઊઠે છે તેને વ્યવહારમાર્ગ કહ્યો છે. અભેદ વસ્તુનો અનુભવ નથી એટલે ભેદનો વિકલ્પ આવે છે; પણ અભેદનો નિર્ણય કરવા માગે છે માટે તે ભેદના વિચારને વ્યવહાર કહ્યો છે. “મનુષ્યજીવન' એમ પહેલાં વિચારીને, પછી દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છું-એમ જીવને લક્ષમાં લે ત્યાં ગુણગુણીના ભેદથી જીવને લક્ષમાં લેવો તે વ્યવહાર છે. તે વ્યવહારમાર્ગ દ્વારા અભેદ જીવનો નિર્ણય કરવો. ભેદનો વિચાર પણ નિમિત્ત છે. જે જીવ તેનું આલંબન છોડીને અભેદરૂપ જીવને લક્ષમાં લે તેને ભેદનો વિચાર તે વ્યવહારમાર્ગ કહેવાય. આ રીતે ભેદનું પણ લક્ષ છોડી અભેદ જીવનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન પામવાની ક્રિયા છે. યથાર્થ સ્વરૂપ શું છે? ને ઉપચાર શું છે? તેનો પહેલાં નિર્ણય કરવો. વીતરાગભાવ તે ખરો મોક્ષમાર્ગ છે, ને બહારમાં વ્રત-તપ વગેરે ભેદોને મોક્ષમાર્ગ કહેવો તે ઉપચારમાત્ર છે. તે ખરેખર મોક્ષમાર્ગ નથી. (૧) મનુષ્યજીવ, દેવજીવ વગેરેને જીવ કહ્યો ત્યાં એમ નિર્ણય કરવો કે મનુષ્ય, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312