________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર]
| [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો આત્માને વીતરાગભાવ થતાં તે તે પ્રકારનો રાગ છુટી ગયો. ખરેખર રાગને છોડવો તે પણ વ્યવહારથી છે, કેમકે જે રાગ થયો તેને તે સમયે છોડવો શું? અને બીજા સમયે તો તે રાગનો વ્યય થઈ જ જાય છે. માટે ખરેખર રાગનું પણ ગ્રહણ-ત્યાગ નથી, પણ સ્વભાવમાં એકાગ્રતા વડે વીતરાગભાવ પ્રગટ થયો ત્યાં રાગને છોડ્યો એમ કહેવાય છે. અને રાગ છૂટતાં હિંસાદિ નિમિત્તોને છોડ્યાં એમ પણ ઉપચારથી કહેવાય છે. પંચમહાવ્રતાદિનો શુભભાવ થતાં હિંસાદિ તરફનો અશુભભાવ છૂટયો, પણ ત્યાં તે શુભરાગરૂપ સંયમાદિક કે વ્રત તે ખરેખર મોક્ષમાર્ગ નથી. છ કાયની દયાનો ભાવ તે ખરેખર મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો વીતરાગભાવ જ છે, તે વીતરાગભાવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સમાઈ જાય છે.
વ્યવહારનો ત્રીજો પ્રકાર પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ વ્રત તપ વગેરેને મોક્ષમાર્ગ કહ્યો, ત્યાં તેને જ મોક્ષમાર્ગ ન માની લેવો, પણ તે તો વ્યવહારમાત્ર કથન છે. કેમકે જો પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરનો કર્તા-હર્તા થાય, પણ એમ વસ્તુસ્વરૂપ નથી. કોઈ દ્રવ્યની ક્રિયા બીજા દ્રવ્યને આધીન નથી. શરીરને હું ચલાવું એમ માને તે મિથ્યાદષ્ટિ છે. શરીરની આંગળી ચાલે કે ભાષા બોલાય તે જીવની ક્રિયા નથી, જીવે તે ક્રિયા કરી નથી; છતાં મારાથી તે ક્રિયા થઈ એમ જે માને તે જૈન નથી. તેને નવતત્ત્વની શ્રદ્ધા નથી. આંગળીની ક્રિયા આત્માને આધીન નથી. માથાના વાળનો લોચ થાય ત્યાં આંગળીને આધીન તે ક્રિયા નથી. તેમજ આંગળીની ક્રિયા આત્માને આધીન નથી. કોઈ દ્રવ્યની ક્રિયા કોઈ બીજા દ્રવ્યને આધીન નથી. બહારનો ત્યાગ તે તો મોક્ષમાર્ગ નથી અને અંદર પ્રતાદિનો શુભરાગ તે પણ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે. સ્વભાવ તરફ ઝૂકયો ત્યાં રાગ છૂટયો ને વીતરાગ થયો. તેથી સ્વભાવ તરફ ઝૂકયો જ મોક્ષમાર્ગ છે. પહેલાં કંઈ આત્માએ પરદ્રવ્યને ગ્રહણ કર્યું ન હતું અને વીતરાગ થતાં કાંઈ આત્માએ પરદ્રવ્યને છોડ્યું નથી. પરદ્રવ્ય તો ત્રણે કાળે આત્માથી છૂટાં જ છે.
અજ્ઞાનીને સાચી સમજણ કઠણ લાગે છે ને મુનિપણું સહેલું લાગે છે; પણ અરે ભાઈ ! આત્માના જ્ઞાન વગર મુનિપણું હોય જ કયાંથી? સમ્યગ્દર્શન વગર અનંત વાર મુનિવ્રત ધારીને સ્વર્ગમાં ગયો પણ અંદરમાં યથાર્થ મોક્ષમાર્ગ શું છે તે ન સમજ્યો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com