________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪]
| [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે.” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
વ્યવહારનય પરમાર્થને સમજાવવા માટે છે પ્રશ્ન- જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું!
ઉત્તર:- એવો જ તર્ક શ્રી સમયસાર (ગાથા ૮) માં કર્યો છે. ત્યાં આ ઉત્તર આપ્યો છે કે જેમ કોઈ અનાર્યને તેની ભાષા વિના સમજાવી શકાય નહિ તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે.
નિશ્ચય મોક્ષમાર્ગ સાચો છે. વીતરાગી પર્યાય સાચો ધર્મ છે. જોઈને ચાલવું, ભાષા મૂદુ બોલવી, તે ખરેખર સમિતિ નથી. શાસ્ત્રમાં કથન આવે કે મુનિએ ધોંસરા પ્રમાણ જોઈને ચાલવું વગેરે. તો તેવો ઉપદેશ કેમ કર્યો? તેના સમાધાનમાં જવાબ આપે છે કે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી.
સ્વસ્તિ” શબ્દનો અર્થ અનાર્ય ન સમજી શકે, પણ “સ્વતિ”નો અર્થ તેની ભાષામાં કહે કે “તારું અવિનાશી કલ્યાણ થાઓ' તો તે જીવ સમજી શકે છે. એમ વ્યવહારનો ઉપદેશ છે. મ્લેચ્છ ભાષામાં સમજાવવું પણ બ્રાહ્મણે પ્લેચ્છ થવું નહિ. તેમ વ્યવહારથી સમજાવવામાં આવે પણ વ્યવહારને નિશ્ચય માનવો નહિ. આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદ પાડી સમજાવે છે પણ તે કહેવામાત્ર છે. આત્મામાં ખરેખર એવા ભેદ નથી. આત્મા તો અભેદ છે. અજ્ઞાનીને મનમાં વ્યવહાર રમી રહ્યો છે, તેથી વ્યવહારની ભાષાથી આત્માનું સ્વરૂપ કહે છે, પણ તેવું વસ્તુનું સ્વરૂપ નથી.
વળી વ્યવહાર અંગીકાર કરાવવા વ્યવહાર કહેતા નથી. વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે-એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ. પાંચ મહાવ્રત, ૨૮ મૂલગુણ આદિ વ્યવહારનયનો વિષય છે પણ તે અંગીકાર કરવાયોગ્ય નથી.
પ્રશ્ન- વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન હોઈ શકે તો વ્યવહારનયને કેમ અંગીકાર ન કરવો તે કહો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com