________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૩૫ કે વ્યવહાર સમ્યત્વના કારણે નિશ્ચય સમ્યક્ત થાય છે; પણ નિશ્ચય મોક્ષમાર્ગની પરિણતિ વખતે સાચા દેવાદિની શ્રદ્ધારૂપી રાગ હોય છે. એનું જ્ઞાન કરવું તેને વ્યવહાર કહેલ છે. આ પ્રમાણે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમજવું.
વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૧૦, ગુરુવાર તા. ૯-૪-પ૩ જ્ઞાની એક સ્વભાવનું જ સાધન સાધે છે. બીજાં ખરેખર સાધન નથી. નિશ્ચય મોક્ષમાર્ગ એક જ છે એમ જ્ઞાની માને છે. મિથ્યાદષ્ટિ બે નયનું સાધન સાધે છે, બે મોક્ષમાર્ગ માને છે, અને બન્ને નયને ઉપાદેય માને છે-એમ ત્રણ પ્રકારથી ભૂલ કરે છે. શુભરાગ મોક્ષમાર્ગ નથી, પણ મોક્ષમાર્ગમાં નિમિત્ત છેસહચારી છે. તેથી જેને નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો છે તેના મંદકષાયને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે. આવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ છે.
સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર
આત્માની રુચિપૂર્વક રમણતા કરવી તેને મોક્ષમાર્ગ કહેવો તે નિશ્ચય છે અને વચ્ચે જે રાગ આવે છે તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે; માટે મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે જાણવું પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે-એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. વળી, તે નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે; કારણકે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે.
નિશ્ચયથી સામાયિક તો આત્મામાં દષ્ટિપૂર્વક-તત્ત્વજ્ઞાનપૂર્વક લીનતા થાય તે છે. તે વખતે વિકલ્પ-રાગને વ્યવહાર સામાયિક કહેવાય છે. કોઈ કહે કે ત્યારે શું સામાયિકને છોડી દેવી? પણ અહીં તો કહે છે કે જેને વસ્તુના સ્વભાવની ખબર નથી તેને સામાયિક જ નથી. તો પછી સામાયિક છોડી દેવી-એ વાત રહેતી નથી. માટે પ્રથમ સામાયિકનું સ્વરૂપ સમજવું જોઈએ. સત્ વસ્તુને સમજે નહિ અને બીજો રસ્તો પકડે તો ધર્મ થાય એમ નથી. જ્ઞાની પાસે નિર્માનતાથી કબૂલ કરે કે અમોએ અત્યાર સુધી માનેલી વાત વિપરીત હતી; તો આ વાત સમજાય એમ છે.
એક શેઠને ત્યાં કોઈ માણસ નોકરી માટે ગયો. તેને શેઠે પૂછયું કે તને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com