________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૨૦૯
અર્થ છે. માટે પહેલાં તત્ત્વજ્ઞાન થાય, તે પછી ચારિત્ર હોય તે જ સમ્યક્ ચારિત્ર નામ પામે છે. અજ્ઞાનનો જેને નાશ ન થાય તેને ચારિત્ર હોતું નથી. તત્ત્વજ્ઞાન ક૨ે નહિ તેને સમ્યગ્દર્શન નથી. દિગંબર સંપ્રદાયમાં જન્મ્યો માટે સમ્યગ્દષ્ટિ છે–એમ નથી. દિગંબર કોઈ સંપ્રદાય નથી પણ વસ્તુનું સ્વરૂપ છે. સાત તત્ત્વના ભાવનું ભાસન થવું તે તત્ત્વજ્ઞાન છે.
(૧) જીવતત્ત્વ તો પ૨મ પારિણામિકભાવ શુદ્ધ ચૈતન્ય છે તે છે.
(૨) અજીવતત્ત્વ, તે પણ પારિણામિકભાવ તથા ઔદિયકભાવરૂપ છે. ( અહીં અજીવતત્ત્વમાં મુખ્યપણે ક્રમાદિ પુદ્દગલતત્ત્વ લેવું છે.)
(૩) આસ્રવતત્ત્વ આત્મામાં વિકારભાવ-ઔદિયકભાવ છે તે છે.
(૪) સંવરમાં સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર છે તે ક્ષાયોપમિક, ઔપમિક તથા ક્ષાયિકભાવ છે.
( ૫ ) બંધભાવ તે વિકારભાવ છે. ઔદયિકભાવ છે. તે આત્માનો શુદ્ધ પર્યાય નથી. (૬) નિર્જરા ક્ષાયોપશમિકભાવ, ઔપમિકભાવ તથા ક્ષાયિકભાવ છે. (૭) મોક્ષ ક્ષાયિકભાવ છે.
આમ સાત તત્ત્વોનો ભાવ સમજવો જોઈએ.
તત્ત્વજ્ઞાન વિના દર્શનપ્રતિમા પણ ન હોય તો મુનિપણું તો કયાંથી હોય ? હાલ દિગંબર સંપ્રદાયમાં તો દેવાદિની શ્રદ્ધા છે માટે સમ્યગ્દર્શન છે એમ મોટો ભાગ માને છે. શ્રાવકમાં જન્મ થયો એટલે જન્મથી શ્રાવક છીએ-એમ માને છે, પણ તે મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ તો, આત્મા ચિદાનંદ છે એવી દષ્ટિ વિના હોય નહિ, અને સમ્યગ્દર્શન અર્થાત્ તત્ત્વજ્ઞાન વિના ચારિત્ર હોય નહિ. જેમ કોઈ ખેડૂત બીજ તો વાવે નહિ અને અન્ય સાધન કરે તો તેને અન્નપ્રાપ્તિ કયાંથી થાય? ઘાસફુસ જ થાય. તેમ અજ્ઞાની તત્ત્વજ્ઞાનનો તો અભ્યાસ કરે નહિ અને અન્ય સાધન કરે તો મોક્ષપ્રાપ્તિ કયાંથી થાય ? દેવપદાદિ જ થાય.
વળી તેમાં કોઈ જીવ તો એવા છે કે તેઓ તત્ત્વાદિનાં નામ પણ બરાબર જાણતા નથી અને માત્ર બાહ્ય વ્રતાદિમાં જ પ્રવર્તે છે. નિર્દોષ વ્રત પાળે પણ તત્ત્વજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com