________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો].
[ ૨૦૭ પણ શિથિલતા ન કરવી તથા તત્ત્વજ્ઞાનીઓએ તો શિથિલતા કદી પણ અને કોઈ પ્રકારથી પણ કરવી નહિ.
જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ' માટે વિવેક કરવો જોઈએ. અજ્ઞાનીને વિવેક હોતો નથી. જેમ કોઈ અવિવેકી વ્યાપારીને કોઈ વ્યાપારના નફા અર્થે અન્ય પ્રકારથી ઘણો તોટો થાય છે તેવું આ કાર્ય થયું; પણ જેમ વિવેકી વ્યાપારીનું પ્રયોજન નફો છે. તેથી તે સર્વ વિચાર કરી જેમ નફો થાય તેમ કરે; તેવી રીતે જ્ઞાનીનું પ્રયોજન તો વીતરાગભાવ છે તેથી તે સર્વ વિચાર કરીને વીતરાગભાવ વધે તેમ કરે છે.
ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. એ જ જ્ઞાનીનું પ્રયોજન છે. દષ્ટિમાં વીતરાગતા તો છે. પરંતુ ચારિત્રમાં પણ વીતરાગતા વધે એ જ જ્ઞાનીનું પ્રયોજન હોય છે. રાગનું પ્રયોજન હોતું નથી. તત્ત્વજ્ઞાન વિના રાગનો અભાવ થતો નથી. બહારનો ત્યાગ થયો કે ન થયો એનું પ્રયોજન જ્ઞાનીને નથી. શુભભાવનું પણ પ્રયોજન નથી. જ્ઞાનીને રાગ, નિમિત્ત અને પરની ઉપેક્ષા હોય છે, અને સ્વની અપેક્ષા હોય છે.
વીર સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૨ બુધવાર, તા. ૧-૪-૫૩ આત્માના ભાર વિનાનું આચરણ મિથ્યાચારિત્ર છે વળી કોઈ જીવ અણુવ્રત, મહાવ્રતાદિરૂપ યથાર્થ આચરણ કરે છે તથા આચરણ અનુસાર જ અભિપ્રાય છે, પણ માયા લોભાદિના એમને પરિણામ નથી. પહેલાં તો જે વ્રતાદિ બરાબર પાળતો નથી એની વાત કરી હતી હવે કહે છે કે ભગવાને કહેલાં વ્રતાદિ યથાર્થ પાળે છે છતાં પણ તે ક્રિયાથી અને શુભભાવથી ધર્મ થાય, વ્યવહાર કરતાં કરતાં ધર્મ થઈ જાય છે એવી માન્યતા હોવાથી તેને પણ યથાર્થ ચારિત્ર નથી એમ કહે છે. જે જીવને આત્માનું ભાન નથી તેથી અણુવ્રતાદિ બરાબર પાળતો નથી, તે મિથ્યાષ્ટિ તો છે પણ એનું આચરણ પણ ખોટું છે, એ વાત તો પહેલા આવી ગઈ. હવે તો કહે છે કે વ્રતાદિ યથાર્થ આચરણ કરે છે છતાં પણ તે મિથ્યાષ્ટિને ચારિત્ર નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com