________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૧૩૯
વળી બાહ્ય ક્રોધાદિ કરવો તેને કષાય જાણે, પણ અભિપ્રાયની ખબર નથી. અનુકૂળ પદાર્થો મળે તો રાગ કરવો પડે, ને પ્રતિકૂળ પદાર્થો મળે તો દ્વેષ કરવો પડે; એ કષાયનો અભિપ્રાય છે. અજ્ઞાની માને છે કે હું વિલ્પ કરું છું માટે બહારના પદાર્થો આવે છે. અભિપ્રાયમાં કષાય રહેલ છે. તેથી આસ્રવતત્ત્વની ભૂલ છે. વળી આત્મામાં યોગ (–પ્રદેશકંપન) ની ક્રિયા છે તેને અજ્ઞાની માનતો નથી. જડની ક્રિયા મેં રોકી માટે યોગ રોકાયો એમ માને છે. મન, વચન, કાયાની ક્રિયા મેં રોકી, માટે યોગ રોકાયો એમ માને છે. મન, વચન, કાયાની ક્રિયા જડની છે, તેની ખબર નથી ને શરીરાદિની ક્રિયા રોકાણી તેથી ધર્મ થયો એમ માને છે; પણ અંતરમાં શક્તિભૂત યોગોને તે જાણતો નથી. એ પ્રમાણે તે આસ્રવોનું સ્વરૂપ અન્યથા જાણે છે.
વળી રાગ, દ્વેષ, મોહરૂપ જે આસ્રવભાવ છે તેનો નાશ કરવાની ચિંતા નથી ને બાહ્ય ક્રિયા સુધારું એમ તે માને છે. અનુકૂળ નિમિત્તો મેળવવાનો ને પ્રતિકૂળ નિમિત્તો દૂર કરવાનો ઉપાય રાખે છે. બાહ્યક્રિયા છોડો, ભોજન છોડો, સ્ત્રી છોડો, લક્ષ્મીને છોડો, બાહ્ય પરિગ્રહનું પ્રમાણ કરો તો ધર્મ થશે એમ અજ્ઞાની માને છે. બહારથી ક્રિયા છૂટવાથી પ્રતિમા થઈ એમ તે માને છે, પણ પ્રતિમા બહારથી આવતી નથી. અંતર પરિણામ સુધાર્યા નથી. જીવ-અજીવનું ભેદજ્ઞાન નથી, જીવની સ્વતંત્ર ક્રિયામાં અજીવ નિમિત્તમાત્ર છે ને અજીવની સ્વતંત્ર ક્રિયામાં જીવ નિમિત્તમાત્ર છે એવી સ્વતંત્રતાની ખબર નથી તેને પ્રતિમા કયાંથી હોય ?
કંચન, કામિનીને કુટુંબ-એ ત્રણ છોડો તો ધર્મ થશે-એમ અજ્ઞાની કહે છે. તે છૂટાં જ પડેલાં છે; તેને હું છોડું છું એમ માન્યતા જ મિથ્યાત્વ છે. આત્મા તેનાથી ૫૨ છે, ને રાગદ્વેષરહિત છે. એવા આત્માના ભાનપૂર્વક રાગ છૂટે તો કંચન, કામિની ને કુટુંબનાં નિમિત્ત છૂટયાં કહેવાય; નહિતર નિમિત્ત પણ છૂટયાં કહેવાતાં નથી, સ્વરૂપમાં લીનતા કરવી તે ચારિત્ર છે; બાહ્ય ત્યાગ તે ચારિત્ર નથી. અજ્ઞાની કહે છે કે બાહ્ય વસ્તુ છોડો તો અંતરમાં રાગ છૂટશે. પણ તે વાત ખોટી છે.
દ્રવ્યલિંગી મુનિ અન્ય દેવાદિકની સેવા કરતો નથી, ૨૮ મૂળગુણનું પાલન કરે છે ને પ્રાણ જાય તોપણ વ્યવહા૨ધર્મ ન છોડે, તો ત્યાં ગૃહીત મિથ્યાત્વનો ત્યાગ છે, પણ અગૃહીતનો ત્યાગ નથી. તે બાહ્યહિંસા બિલકુલ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com