________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ખરડો કરવા ન જાય, પણ પોતાના ઘરમાંથી પૈસા કાઢે છે, મકાન બનાવવું હોય તો ખરડો કરે નહિ–એમ જેને ધર્મબુદ્ધિ હોય તે ધર્મનાં બધાં કાર્યોમાં યથાશક્તિ ધન ખર્ચે છે. તેને એવાં પરિણામ હોય છે.
તત્ત્વજ્ઞાનપૂર્વક વ્રત, તપ અને દાન હોવાં જોઈએ. એ ત્રણ વાત કરી. એ પ્રમાણે જે જે કાળે જે જે પ્રકારનો રાગ હોય તે તે પ્રકારે જ્ઞાનીને વિવેક હોય છેએમ સમજવું.’ ‘વળી જેને સાચા ધર્મની દૃષ્ટિ નથી તેને સાચું સાધન પણ નથી. બહારથી લક્ષ્મીનો ત્યાગ કર્યો હોય, પણ વસ્ત્રાદિથી મોહ છૂટયો ન હોય. સુંદર કપડાં જોઈએ, મખમલના જોડા અને મખમલનો કોટ પહેરે તો તે ત્યાગ મેળ વગરનો છે. બહારથી ત્યાગ કર્યો હોય ને સટ્ટાનો ધંધો કરે, પોતે તો ત્યાગી હોય પણ બીજાને લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે ફીચરના ભાવ કહે, તે તો ધર્મમાં કલંકરૂપ છે; એણે તો ખરેખર લક્ષ્મીનો ત્યાગ કર્યો નથી, પણ લાભાંતરાયના કારણે લક્ષ્મી આવી નથી, પોતે ત્યાગી થાય અને માતા, પિતા ખરડો કરાવે તે પણ ત્યાગી નથી.
કોઈને ખરડામાં અમુક રકમ નોંધાવવા માટે કહેવું તે પણ ત્યાગીને માટે શોભનીય નથી. સાચો ત્યાગ હોય તો પોતાના પરિણામને જુએ. એક સાધુ કહે કે મારે અમુક રૂપિયા જોઈએ છે. આવી રીતે સાધુ થઈને માગણી કરવી તે ધર્મની શોભા નથી. નિઃસ્પૃહપણે ત્યાગ હોવો જોઈએ. મુનિને યાચના હોય નહિ.
કોઈ કોઈ ત્યાગી એવા હોય છે કે જાત્રા માટે અથવા તો ભોજનાદિ માટે પૈસાની પણ યાચના કરે અને કોઈએ આપ્યું ન હોય તો કષાય કરે. પહેલાં તો ત્યાગીએ યાચના કરવી જ યોગ્ય નથી અને પાછો કષાય કરવો તે તો વધારે ખોટું કહેવાય. છતાં પોતાને ત્યાગી અને તપસ્વી માને છે તે વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ અવિવેક છે. મુનિ નામ ધરાવીને, પોતાને તપસ્વી માનીને ક્રોધ કરે, માન કરે, લોભ પણ કરે, ‘હું તપસ્વી છું' તો ગ્રંથમાળામાં મારું નામ રાખે તો ઠીક-એમ માનીને માન કરે છે. તે સાચો મુનિ નથી, પણ અજ્ઞાની છે.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com