________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૯૩ એની તો એને ખબર નથી. આ વાત અજ્ઞાનીને અંતર બેસતી નથી. પ્રતિજ્ઞા ભંગ કરે એનો ડર જ નથી. એને ભગવાને મહાપાપી કહ્યા છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય છતાં વ્રત ન હોય, કેમ કે સમ્યગ્દર્શન થયા પછી તુરત જ બધાને ચારિત્ર આવી જાય એવો નિયમ નથી. સમ્યગ્દષ્ટિ પોતાના પરિણામને જુએ છે.
જ્ઞાન પચ્ચખાણ છે ભગવાન આત્મા સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે રાગનો નાશ થાય છે; ત્યારે રાગને જીતે છે એમ કહેવાય છે. માટે “જૈન” = જીતવું એ વ્યવહાર છે. સમયસાર ગાથા ૩૪/૩૫ માં કહેલ છે કે રાગનો ત્યાગ એ પણ નામપાત્ર છે. ત્યાગ પચ્ચખાણ નથી પણ જ્ઞાન પચ્ચખાણ છે એમ કહે છે. આ જૈનની વ્યાખ્યા કરી છે. આત્મા રાગને અને વિકારને જીતે એમ કહેવું તે પણ નામમાત્ર છે, કેમ કે આત્મા જ્ઞાનમાં લીન થતાં રાગ છૂટી જાય છે, માટે જ્ઞાન તે પચ્ચખાણ છે. સંસાર આત્માની પર્યાયમાં હોય છે. તે સંસારનો નાશ આત્મા કરે છે તે નામમાત્ર છે. શરીર, કપડાં આદિ પરવસ્તુને તો આત્મા છોડતો નથી. પણ સંસારની પર્યાયને આત્મા છોડતો નથી, કેમકે સંસારની પર્યાય ત્રિકાળી સ્વભાવમાં ત્રણ કાળમાં ગ્રહણ થઈ નથી. કે તેને છોડ. પર્યાયદષ્ટિએ એક સમયનો સંસાર અનિત્ય તાદાભ્યસંબંધે છે; પણ દ્રવ્યદૃષ્ટિએ અનિત્ય તાદાભ્યસંબંધ નથી; કેમકે વિકારનો પ્રવેશ સ્વભાવમાં ત્રણ કાળમાં થયો નથી.
પ્રથમ નક્કી કર્યું કે સંસાર મારી પર્યાયમાં મારું કાર્ય છે, કર્મના કારણે સંસાર નથી; પછી તે સંસાર મારા સ્વભાવમાં નથી, આત્માએ દ્રવ્ય-દષ્ટિથી સંસારને ગ્રહણ કર્યો જ નથી તો પછી સંસારને છોડવો એ વાત રહેતી નથી. આત્માની લીનતા થતાં સંસાર છૂટી જાય છે, સંસારને છોડવો પડતો નથી. સંસારમાં શુભાશુભભાવ હોય છે. એમાં અવ્રતના ભાવ છે. તે અશુભભાવ છે તે અશુભભાવ ન હોય ત્યારે વ્રતના શુભભાવ આવે છે, પણ તે નિશ્ચય ચારિત્ર નથી, પણ આસ્રવ છે.
ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે, અને ચારિત્ર તે ધર્મ છે. તેથી સમ્યગ્દર્શન કરતાં ચારિત્રમાં અનંતી શાંતિ વધારે હોય છે. ચારિત્ર વિના મોક્ષ થાય નહિ. તીર્થકરને પણ ચારિત્ર ગ્રહણ કરવું પડે છે. માટે ધર્મ તો ચારિત્ર છે અને એનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com