________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દષ્ટિ પોતે સમજે છે કે આ અવ્રતના પરિણામ થાય છે તે કરવા જેવા નથી. ચોથા ગુણસ્થાનમાં હજારો વર્ષ રહે છે, મુનિપણું હોતું નથી, તે વખતે જ્ઞાનીને જે અવ્રતના પરિણામ થાય છે અને પોતે નિંદે છે, પણ હઠ કરીને, આગ્રહ કરીને ત્યાગી થઈ જતા નથી. મુનિપણું મહા દુર્લભ છે. આ કાળે ભાવલિંગી મુનિ દેખવા દુર્લભ છે. આ જિંદગીમાં તો ભાવલિંગી મુનિને દેખ્યા નથી. અત્યારે તો દ્રવ્યલિંગી મુનિનાં પણ ઠેકાણાં નથી. આ કોઈ વ્યક્તિગત વાત નથી. જેને નુકશાન થાય છે, તે એને પોતામાં થાય છે. બીજાને એના નુકશાનનું ફળ હોતું નથી, પણ પોતાને તો યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. પ્રતિજ્ઞાભંગ કરવા કરતાં પ્રતિજ્ઞા ન લેવી તે ભલી છે. એનો અર્થ એવો નથી કે આત્માના ભાનપૂર્વક પ્રતિજ્ઞા ન લેવી.
જૈન જાતિમાં જન્મ્યો માટે તત્ત્વજ્ઞાની છે, એમ નથી. પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય એમ માને તેને જન્મના દિગંબર કેવી રીતે મનાય? કેમ કે એ માન્યતા તો શ્વેતાંબરોની છે. શ્વેતાંબર ઉપાધ્યાય યશોવિજયજી દિગંબરની ભૂલ કાઢી છે તો પહેલા વ્યવહાર અને પછી નિશ્ચય માનવો તે મિથ્યાત્વ છે. તત્ત્વજ્ઞાની થયા પછી પોતાના પરિણામ જોઈને પ્રતિજ્ઞા લે છે.
વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૧૨ શુક્રવાર, તા. ૨૭-૩-પ૩ આત્મા પરિપૂર્ણ શક્તિથી ભરેલો ભંડાર છે. એને વર્તમાન પર્યાયમાં શુભાશુભ પરિણામ થાય છે તે વિકાર અને સંસાર છે. તે એક સમયની પર્યાય છે. આત્માનો સંસાર આત્માની પર્યાયમાં હોય છે; શરીર, સ્ત્રી આદિમાં સંસાર નથી. સંસારની અને પરની જેને રુચી નથી પણ અખંડ જ્ઞાયક સ્વભાવની જેને રુચી છે તે જૈન છે. જેને સ્વભાવની રુચી નથી તેને સંસારની રુચી છે; તે જૈન નથી.)
(આત્માની વર્તમાન અવસ્થામાં શુભાશુભરૂપ વિકાર છે એની રુચી છે તેને સ્વભાવની રુચી નથી. પરની ચિની વાત અહીં છે જ નહિ. આત્મામાં રાગ થાય છે એની રુચિને જીતે તેને અહીં જૈન કહે છે. જૈનધર્મમાં એવો ઉપદેશ છે કેપહેલાં તત્ત્વજ્ઞાની થાય, પછી જેનો ત્યાગ કરે તેના દોષને ઓળખે, ત્યાગ કરવાથી જે ગુણ થાય તેને જાણે. કોઈ પ્રાણી કહે કે મારે દોષ ટાળવો છે, એનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com