________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૮૭ બાહ્યક્રિયા સુધરવાથી મારા પરિણામ સુધરે છે અને મંદકષાયના પરિણામથી ધર્મ થાય છે-એવા અભિપ્રાયની ગંધ બેસી જવી તેનું નામ મિથ્યાવાસના છે. એવી વાસના રાખીને બહારમાં પંચમહાવ્રતનું પાલન તથા દયા, દાન આદિની ગમે તેટલી ક્રિયા કરે અને મંદકષાય કરે તો પણ એને ધર્મ થતો નથી. હું તો જ્ઞાયક છું એવી અંતરદષ્ટિ કરે તો ધર્મ થાય.
સિદ્ધચક્રવિધાન કર્યું માટે પરિણામ સુધર્યા એમ મિથ્યાષ્ટિ માને છે. દેવગુરુ-શાસ્ત્રની માન્યતાથી નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે તે મિથ્યાવાસના છે. અનાદિકાળથી જીવે ક્રિયાકાંડમાં ધર્મ માન્યો છે. બહારમાં ક્રિયા કરું તો સમ્યગ્દર્શન પ્રગટ થઈ જશે એવી માન્યતા તે મિથ્યાવાસના છે.
| કુંભાર વિના ઘડો થયો નથી-એ વાત ખોટી છે, એ તો નિમિત્તનું કથન છે. તેવી રીતે દેવ-ગુરુ-શાસ્ત્રની માન્યતા વિના સમ્યગ્દર્શન થાય નહિ, એવી માન્યતામાં ઊંડે ઊંડ વ્યવહારની વાસના છે તે મિથ્યાત્વ છે. આત્મામાં દયાદાનાદિનો રાગ થાય છે એનો નિશ્ચયથી આત્મા જાણનાર છે. એમ માને તે મિથ્યાષ્ટિ છે. ખરેખર આત્મા નિશ્ચયથી પોતાની જ્ઞાનપર્યાયનો જાણનાર છે. રાગાદિ પર શય છે. તેને વ્યવહારથી આત્મા જાણે છે, નિશ્ચયથી નહિ. રાગ કરું તો ધર્મ થાય, વ્યવહારરત્નત્રય હોય તો નિશ્ચયરત્નત્રય થાય-એવી માન્યતા મિથ્યાષ્ટિની છે.
હવે અહીં કોઈ જીવ તો કુળક્રમથી અથવા દેખાદેખીથી વા ક્રોધ, માન, માયા, લોભાદિથી આચરણ આચરે છે તેમને તો ધર્મબુદ્ધિ જ નથી. જે જીવ સમજ્યા વિના કહે કે અમારે પડિમા તો લેવી જ પડે, પડિમા વિના પ્રતિષ્ઠા નથી, તો એમ માનનારને ધર્મબુદ્ધિ જ નથી. એને અંતરસ્વભાવનો ઉધમ નથી.
ત્યાગી થઈને પૈસા માગે, ભોજન માટે યાચના કરે, તો તેનો ધર્મબુદ્ધિ જ નથી. આત્મા નિવૃત્ત સ્વરૂપ જ છે. એવી જેને ખબર નથી અને બહારમાં નિવૃત્ત થઈને આત્મામાં શાંતિ થઈ માને છે. તેઓ કદાચ મંદ કષાયી હોય તો પણ તેને સમ્યગ્દર્શન થતું નથી. નિમિત્ત આવે તો આત્મામાં પરિણતિ સુધરે એવી માન્યતા જેના અંતરમાં પડી છે તે મિથ્યાદષ્ટિ છે. તેને સમ્યક્રચારિત્ર હોતું નથી.
કોઈ જીવ તો એવું માને છે કે જાણવાથી શું છે, માનવાથી શું છે, પણ કાંઈક કરીશું તો ફળ પ્રાપ્ત થશે. અજ્ઞાની એમ માને છે કે એકલાં જ્ઞાનશ્રદ્ધાનથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com