________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦]
| [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો થવું જોઈએ. જેમ સ્કંધમાંથી છૂટયા પછી પરમાણુ શુદ્ધ થાય છે તેમ આત્મા કર્મવિપાકથી ભિન્ન થતાં શુદ્ધ થાય છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ અનંત વીર્ય આદિરૂપ આત્મા થાય છે. મોક્ષ લક્ષણ છે ને અર્વતસિદ્ધ લક્ષ્ય છે. મોક્ષના ભાવનું ભાન નથી તેને અર્વતસિદ્ધની શ્રદ્ધા વિપરીત છે યથાર્થ નિર્ણય કરે તો સમ્યગ્દર્શન થાય છે.
દષ્ટાંત - સ્કંધથી પરમાણુ છૂટો પડે તો શુદ્ધ છે, પણ વિશેષતા એ છે કે પરમાણુ સ્કંધમાં હોય તો દુઃખી નથી ને છૂટો હોય તો સુખી નથી. તેને સુખદુઃખ નથી, આત્મા અશુદ્ધ અવસ્થા વખતે દુઃખી છે ને શુદ્ધ અવસ્થા વખતે સુખી છે. એટલો પરમાણુ અને આત્મા વચ્ચે ફેર છે. ઔપાધિકભાવ સંસાર છે ને તેનો અભાવ થવો તે મોક્ષ છે, ને ત્યાં નિરાકુળ લક્ષણવાળા અનંત સુખની પ્રાપ્તિ થાય છે. વળી ઇન્દ્રાદિકને જે સુખ છે તે તો આકુળતાનું સુખ છે. ઇન્દ્રાણીમાં, પૈસામાં સુખ નથી. ઇન્દ્રો પણ પરમાર્થે દુઃખી છે. પોતાના સ્વભાવને ચૂકી પૈસા વગેરેમાં સુખ માને તે દુઃખ છે. રોગથી દુઃખી નથી, ને નીરોગતા સુખી નથી. આકુળતાજન્ય પરિણામ થવા તે દુઃખ છે. તેથી દેવો આદિ પરમાર્થે દુઃખી છે, એટલા માટે તેના ને સિદ્ધના સુખની એક જાતિ નથી. વળી સ્વર્ગસુખનું કારણ તો પ્રશસ્ત રાગ છે, ને મોક્ષ સુખનું કારણ વીતરાગભાવ છે. એ રીતે કારણમાં ફેર છે. અજ્ઞાની ને સાત તત્ત્વની શ્રદ્ધાની ખબર નથી; શ્રદ્ધા વિના ધર્મ થતો નથી. દયા, દાન, જાત્રા, ભક્તિ આદિમાં ધર્મ છે? ના, ચારિત્ર તે ધર્મ છે, ને ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. મૂળ વિના શાખ ને ઝાડ હોય? ન જ હોય.
અજ્ઞાનીને તત્વાર્થશ્રદ્ધાન નામનિક્ષેપથી છે અજ્ઞાની જીવને નવતત્ત્વની વિકલ્પસહિત શ્રદ્ધા થઈ, પણ ભાવનું ભાસન ન થયું, તેથી મિથ્યાદર્શન જ રહે છે. અભવ્યને તત્ત્વાર્થશ્રદ્ધાન છે તે નામનિક્ષેપથી છે, પણ ત્યાં યથાર્થ તત્ત્વાર્થશ્રદ્ધાન સમજવું નહિ; કારણ કે ભાવનું ભાસન તેને નથી. અભવ્યને જીવાદિનું શ્રદ્ધાન છે પણ ભાવભાસન નથી, અથવા ભાવનિક્ષેપથી, નથી, દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વતંત્ર છે એવું ભાસન તેને નથી.
શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે “આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાના કાર્યકારી નથી.” અહીં તત્ત્વાર્થશ્રદ્ધાન કહેલ છે તે નામનિક્ષેપથી છે. રાગરહિત તત્ત્વ શ્રદ્ધાનની ત્યાં વાત નથી. જેવો ભાવ છે તેવું ભાસન થવું તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે. રાગનું અવલંબન છૂટી નવે તત્ત્વના ભાવનું ભાસન એક આત્મામાં થવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com