________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મળે, ને તે કાળે કપાયમંદતા હોય તો અકામનિર્જરા છે.
વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૮ રવિવાર, તા. ૭-૩-૫૩ પ્રશ્ન- ઉપવાસ કરે, બાહ્ય સંયમ પાળે, આયંબિલ કરે, કંદમૂળાદિ ન ખાય તો તેને ધર્મ કેમ થતો નથી ?
ઉત્તર:- ઢોર વગેરેને ભૂખ-તરસ સહન કરતી વખતે કષાયમંદતા થાય છે તે અકામનિર્જરા છે. તે અકામનિર્જરામાં પણ બાહ્ય નિમિત્ત તો ઈચ્છા રહિત ભૂખ, તૃષાદિ સહન કરવી એ થયું છે. ત્યાં મંદકષાય ન હોય તો પાપબંધ પડે છે. કષાયમંદતા કરે તો પુણ્ય થાય ને દેવાદિનો બંધ પડે, પણ ત્યાં મિથ્યાત્વનું પાપ તો છે જ. અંતર સ્વભાવનું ભાન નથી તેને ધર્મ થતો નથી.
નિર્જરાના ચાર પ્રકાર નિર્જરા ચાર પ્રકારની છે. (૧) બાહ્યથી પ્રતિકૂળ સંયોગ હોય ને તે વખતે કષાયમંદતા કરે તો અકામનિર્જરા થાય છે. ગરીબ લોકોને અનાજ વગેરે મળે નહિ તે વખતે કષાયમંદતા કરે તો પુણ્ય થાય. નાની ઉંમરમાં કોઈ બાઈ વિધવા થાય; ત્યાં કષાયમંદતા વડે બ્રહ્મચર્ય પાળે તે પુણ્ય છે. તેને અકામનિર્જરા થાય છે.
(૨) આત્મા શુદ્ધ ચિદાનંદસ્વરૂપ છે, તેવા અકષાય સ્વભાવનું લક્ષ હોય; દેહાદિની ક્રિયા જડથી થાય છે, પુણ્ય-પાપના ભાવ બન્ને બંધ છે, બંધરહિત શુદ્ધ સ્વભાવનું ભાન હોય તેને સકામનિર્જરા થાય છે.
(૩) વળી લોભ આદિના પરિણામ સમયે સમયે કરે છે, ત્યારે જે કર્મના પરમાણુ ખરી જાય છે તેને સવિપાકનિર્જરા કરે છે. અજ્ઞાનીને નવા બંધ સહિત આ નિર્જરા થાય છે. આ સવિપાકનિર્જરા ચારે ગતિના જીવોને થાય છે.
(૪) હું જ્ઞાતા છું, દેહની ક્રિયા મારી નથી, પરવસ્તુનો ત્યાગ કરી શકતો નથી, એવી સાચી દષ્ટિ થયા પછી કર્મ ખરે છે તે અવિપાકનિર્જરા છે.
આત્માની ભાવના સહિત એવો સકામ શબ્દનો અર્થ થાય છે. હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com