________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કે-ચિદાનંદ સ્વભાવની પ્રતીતિ તેને વર્તે છે તથા કષાયની મંદતા હોય છે. સમ્યગ્દષ્ટિપૂર્વક શાસ્ત્રાભ્યાસથી અશુભ રાગ ટળતો હોવાથી તેને વીતરાગભાવ થાય છે-એમ નિમિત્તથી કહેલ છે. ત્રિકાળી અકષાયસ્વભાવની પ્રતીતિવાળાને કષાયની મંદતા થાય છે, એને શાસ્ત્રાભ્યાસાદિ કરતી વખતે અશુભ ભાવ થતો નથી; એની કષાયમંદતાને વીતરાગતાનું કારણ ઉપચારથી કહેલ છે. ખરેખર કષાયની મંદતાથી શુદ્ધતા ત્રણ કાળમાં થાય નહિ.
જ્યાંસુધી શાસ્ત્રમાં ઉપયોગ રહે છે ત્યાંસુધી કષાયની મંદતા વીતરાગતાની વૃદ્ધિમાં નિમિત્તકારણ છે. ખરેખર તો, ભગવાન આત્મા અકષાય ચૈતન્યસ્વરૂપી છે તેના અવલંબને અકષાય પરિણતિ થાય છે. કષાયના અવલંબને શુદ્ધતા થાય નહિ, પણ અહીં જે એકાંત નિશ્ચયને જ માને છે ને શાસ્ત્રાભ્યાસના શુભભાવનો નિષેધ કરે છે તેને કહે છે કે તે શુદ્ધતાનું નિમિત્ત છે; તેથી તેને નિરર્થક કેમ કહેવાય ? અશુભના અભાવમાં શુભભાવ આવ્યા વિના રહે નહિ. અને તે શુભભાવ વીતરાગભાવમાં નિમિત્ત છે; માટે શાસ્ત્રાભ્યાસ નિરર્થક નથી-એમ અહીં કહેલ છે.
હવે પ્રશ્ન કરે છે કે-જૈનશાસ્ત્રોમાં અધ્યાત્મ-ઉપદેશ છે તેનો અભ્યાસ કરવો, પણ અન્ય શાસ્ત્રોના અભ્યાસથી કાંઈ સિદ્ધિ નથી.
ઉત્તર- જો તારી દષ્ટિ સાચી થઈ છે એટલે કે તને યથાર્થ, શ્રદ્ધા-જ્ઞાન છે તો પછી બધાંય જૈનશાસ્ત્રો તારા માટે કાર્યકારી છે. કોઈ પણ જૈનશાસ્ત્ર ભણે તેનો નિષેધ કરવા જેવું નથી. અધ્યાત્મશાસ્ત્રમાં તો આત્મસ્વરૂપનું કથન મુખ્ય છે. હવે સમ્યગ્દષ્ટિ થતાં આત્મસ્વરૂપનો તો નિર્ણય થઈ ચૂક્યો છે; પછી જ્ઞાનની વિશેષ નિર્મળતા માટે વા ઉપયોગને મંદકષાયરૂપ રાખવા અર્થે અન્ય શાસ્ત્રોનો અભ્યાસ પણ મુખ્ય જરૂરનો છે.
હવે જે, એકલાં અધ્યાત્મ શાસ્ત્રોનો જ અભ્યાસ કરવો, બીજાં શાસ્ત્રોનો અભ્યાસ ન કરવો એમ એકાંત કરે છે, તેને કહે છે કે અધ્યાત્મશાસ્ત્રમાં તો સમ્યગ્દર્શનનું જે કારણ એવા આત્મસ્વરૂપનું કથન કર્યું છે. જેને સમ્યગ્દર્શન થયું છે તેને જ્ઞાનની નિર્મળતા માટે અને કષાયની મંદતા માટે અન્ય શાસ્ત્રો વાંચવા કાર્યકારી છે.
સમ્યગ્દર્શન જેને થયું છે એને તો અધ્યાત્મશાસ્ત્રો સિવાય બીજાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com