________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો તેમ નિશ્ચયાભાસી મિથ્યાદષ્ટિ પણ પોતાને એકાંત શુદ્ધ માનીને અશુદ્ધતાને માનતા નથી અથવા અશુદ્ધતા કર્મની જ છે એમ માને છે. એટલે તેને વેદાંત અને સાંખ્યનો ઉપદેશ ઈષ્ટ લાગે છે. જુઓ, નિશ્ચયનું યથાર્થ ભાન હોય અને તેનો આશ્રય કરે તો તો તે મોક્ષમાર્ગ છે; પણ આ તો નિશ્ચયને જાણતો નથી. નિશ્ચયનો આશ્રય કરતો નથી, ને માત્ર નિશ્ચયનું નામ લઈને ભ્રમથી વર્તે છે; એવા જીવની આ વાત છે. અનંત આત્માઓ ભિન્ન ભિન્ન, એકેક આત્મામાં અનંતા ગુણો, તે દરેકની સમય સમયની સ્વતંત્રપર્યાય; અને તેમાં શુદ્ધતા તેમ જ વિકાર પણ, પોતાના કારણે છે. ચૌદમાં ગુણસ્થાન સુધી જીવની પર્યાયમાં અશુદ્ધતા છે-તે પોતાના કારણે છે એને માને નહિ ને પર્યાયમાં શુદ્ધિ જ માની લે તે તો નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ છે. ધર્મી તો દ્રવ્યનો આશ્રય કરીને પર્યાયનો પણ વિવેક કરે છે.
વળી તે જીવોને એવું શ્રદ્ધાન છે કે-કેવળ શુદ્ધાત્માના ચિંતવનથી તો સંવરનિર્જરા થાય છે, વા ત્યાં મુક્તાત્માના સુખનો અંશ પ્રગટ થાય છે; તથા જીવના ગુણસ્થાનાદિ અશુદ્ધભાવોનું વા પોતાના સિવાય અન્ય જીવ-પુદ્ગલાદિનું ચિંતવન કરવાથી આસ્રવ-બંધ થાય છે. માટે તે અન્ય વિચારથી પરામુખ રહે છે. હવે એ પણ સત્યશ્રદ્ધાન નથી, કારણ કે શુદ્ધ-સ્વદ્રવ્યનું ચિંતવન કરો વા ન કરો અથવા અન્ય ચિંતવન કરો, પણ જો વીતરાગતાસહિત ભાવ હોય તો ત્યાં સંવર-નિર્જરા જ છે; અને જ્યાં રાગાદિરૂપભાવ હોય. ત્યાં આસ્રવ-બંધ છે. જો પરદ્રવ્યને જાણવાથી આગ્નવ-બંધ થાય તો કેવળી ભગવાન સમસ્ત પરદ્રવ્યને જાણે છે; તેમને પણ આસ્રવ-બંધ થાય.
સ્વ-પર પ્રકાશક જ્ઞાનસ્વભાવ છે. તે પર જાણે તે કાંઈ આસ્રવ-બંધનું કારણ નથી. છતાં અજ્ઞાની, “પરનો વિચાર કરશું તો આસ્રવ બંધ થશે –એમ માનીને પરના વિચારથી દૂર રહેવા માગે છે, તે તેની માન્યતા જૂઠી છે. હા, ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો તે પરદ્રવ્યનું ચિંતવન છૂટી જાય; પણ અજ્ઞાની તો જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે-એમ માને છે. જેટલો અકષાય વીતરાગભાવ થયો તેટલા સંવરનિર્જરા છે, અને જ્યાં રાગાદિભાવ છે ત્યાં આસ્રવ-બંધ છે. જો પરનું જ્ઞાન તે બંધનું કારણ હોય તો કેવળી ભગવાન તો સમસ્ત પદાર્થોને જાણે છે. છતાં તેમને બંધન જરાપણ થતું નથી. તેમને રાગદ્વેષ નથી માટે બંધન નથી. તે જ પ્રમાણે બધા જીવોને જ્ઞાન બંધનું કારણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com