________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭૯
અધિકાર સાતમો] તે ધર્મ છે. સામાન્યની દૃષ્ટિ થતાં અનંત નિમિત્ત ઉપરની દષ્ટિ ઊડી ગઈ. હું જ્ઞાનસ્વભાવી છું એવો નિર્ણય થતાં પરની કર્તાબુદ્ધિ છૂટી ગઈ ને જ્ઞાતાદા થઈ ગયો. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કહો કે દ્રવ્યદૃષ્ટિ કહો-તે બધું એક જ છે.
| સર્વ પદાર્થના પરિણામ ક્રમબદ્ધ છે. જે પર્યાય જે કાળે થવાની તે જ થવાની. પર્યાય સત્ છે. શ્રી પ્રવચનસાર ગાથા ૯૯ માં આ વાત સ્પષ્ટ લખેલ છે. જે પર્યાય જે વખતે થવાની તે આગળ પાછળ થવાની નથી. આત્મા તથા બીજા પદાર્થોની પર્યાય વ્યવસ્થિત છે. સર્વજ્ઞ બધું જાણે છે. સર્વજ્ઞનો નિર્ણય કેવી રીતે થાય? પોતાની પર્યાય અલ્પજ્ઞ છે, અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞનો નિર્ણય થશે નહિ. પોતાનો સ્વભાવ સર્વજ્ઞ છે એવા જ્ઞાનગુણમાં એકાગ્ર થવાથી સર્વજ્ઞ સ્વભાવના આશ્રયે નિર્ણય થાય છે. સર્વજ્ઞ ભગવાન આત્મામાંથી થયા છે. શું સર્વજ્ઞપણાનો ઉત્પાદ વ્યયમાંથી થાય? ના. રાગમાંથી થાય? ના. સર્વજ્ઞસ્વભાવના આશ્રયે ધર્મદશા પ્રગટે છે. આમ સ્વભાવનો આશ્રય લે છે તેણે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો છે.
ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરનાર પરનો અકર્તા થાય છે. વળી પોતામાં પર્યાય ક્રમસર થાય છે તેમ નક્કી કરતાં અક્રમ સ્વભાવનો નિર્ણય થાય છે, ને તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે.
સ્વભાવદષ્ટિ કરવી તે ચારે અનુયોગનું તાત્પર્ય છે. ચારે અનુયોગનું તાત્પર્ય એ છે કે નિમિત્તદષ્ટિ હઠાવી, રાગદષ્ટિ હઠાવી ને સ્વભાવદષ્ટિ કરવી. તે સમ્યગ્દર્શન ને ધર્મ છે. આને વીતરાગશાસન કહે છે. આ ન્યાય છે. જેવી વસ્તુની મર્યાદા છે તે તરફ જ્ઞાનને લઈ જવું તેને ન્યાય કહે છે.
મહા વદ અમાસ શુક્રવાર, તા. ૧૩-ર-પ૩ [ બહારનાં મહેમાનો આવતા હોવાથી કેવળ વ્યવહારાવલંબી જૈનાભાસોનું નિરૂપણ (પૃ. ૨૧૭ ઉપર વ્યાખ્યાનો શરૂ થયેલ છે. ]
હવે વ્યવહારાભાસીની વાત કરે છે. જિનાગમમાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે. આત્મા જ્ઞાતાદષ્ટા છે એવી જેને દષ્ટિ થઈ છે તેના શુભરાગને વ્યવહાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com