________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૧૦૧ કાંઈ દોષ નથી; પણ ધર્માત્મા દીનતા કરે નહિ; અને જે પોતે જ ભોજનાદિકનું પ્રયોજન વિચારી ધર્મ સાધે છે તે તો પાપી જ છે.
જે વૈરાગ્યવાન થઈ મુનિપણું અંગીકાર કરે છે તેને ભોજનાદિકનું પ્રયોજન નથી. હું જ્ઞાનસ્વરૂપ છું એવી દષ્ટિ થઈ છે તે વૈરાગી થાય છે. રાગ ને વિકાર રહિત મારું સ્વરૂપ છે, “સિદ્ધ સમાન સેવા ૫૬ મેરો' એમ તે સમજે છે. દષ્ટિમાં આવો આત્મા જેને પ્રથમ રચ્યો છે, અને રાગ-દ્વેષથી ઉદાસીન પરિણામ થયા છે તે જીવ પછી મુનિપણું અંગીકાર કરે છે. લાલચથી મુનિપણું લેવું યોગ્ય નથી. પ્રથમ આત્મજ્ઞાન હોવું જોઈએ. આત્મજ્ઞાન થયા પછી વૈરાગી થવું જોઈએ. વૈરાગ્યવાન જીવ ભોજનના પ્રયોજન માટે મુનિપણું લેતા નથી. નવધા ભક્તિથી નિર્દોષ મળે તો જ આહાર લે છે. તેના માટે બનાવેલ આહાર લેતા નથી. ગૃહસ્થ પોતા માટે ભોજન બનાવેલ હોય, તેવો આહાર જ મુનિ લે છે. એષણા સમિતિનું બરાબર પાલન કરે છે. ઉશિક આહાર લેવો તે એષણા સમિતિમાં દોષ છે. આહારના પ્રયોજન વિના આત્માનું સાધન કરે છે. શરીરની સ્થિતિ અર્થે નિર્દોષ ભોજન આપે તો લે પણ ભોજનનું પ્રયોજન વિચારી મુનિપણું લેતા નથી.
મુનિને સંકલેશ પરિણામ થતા નથી. મોટાઈ માટે કે યશ માટે મુનિપણું ધારણ કરતા નથી. વળી, તેઓ પોતાના હિતને અર્થે ધર્મ સાધે છે પણ ઉપકાર કરાવવાનો અભિપ્રાય નથી. તથા પોતાને જેનો ત્યાગ નથી એવો ઉપકાર કરાવે છે. કોઈ સાધર્મી સ્વયં ઉપકાર કરે તો કરો, તથા ન કરે તો તેથી પોતાના કાંઈ સંકલેશ પણ થતો નથી. કોઈ માગવાના ઉપાય કરે ને ધર્મ સાધનામાં શિથિલ થઈ જાય તો તે મિથ્યાષ્ટિ અશુભ પરિણામી છે. એ પ્રમાણે સંસારી પ્રયોજન અર્થે જે ધર્મ સાધે છે તે મિથ્યાદષ્ટિ તો છે જ પણ સાથે પાપી પણ છે. એ પ્રમાણે જૈનમતવાળા પણ મિથ્યાદષ્ટિ જાણવા.
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com