________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૩૪ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો
બાઈએ ધ્યાન ન રાખ્યું માટે રોટલી બળી ગઈ-એ વગેરે માનવું તે ભ્રમણા છે. સ્ત્રી તો નિમિત્તમાત્ર છે, છતાં સ્ત્રીનું ધ્યાન ન હોવું ને રોટલીનું બળવું એ બે ક્રિયા એક જીવથી થઈ માનવી તે મૂઢતા છે. પુદ્દગલની પર્યાય પોતાના કારણે થાય છે તો બીજા પદાર્થને નિમિત્ત કહેવાય છે.
બાળકના હાથમાંથી ચાનો પ્યાલો પડીને ફૂટી જાય ત્યાં પુદ્દગલની પર્યાય નૈમિત્તિક છે ને બાળકનું બેખ્યાલપણું નિમિત્ત છે. જ્ઞાની ધર્માત્માને અલ્પ રાગદ્વેષ થાય છે છતાં સમજે છે તે ભાષા ભાષાના કારણે નીકળે છે; નબળાઈથી દ્વેષ આવે છે પણ તે ૫૨નો સ્વામી થતો નથી. આત્મામાં રાગદ્વેષ અથવા જ્ઞાન પોતાથી થાય છે તેમાં પ૨ પદાર્થ નિમિત્તમાત્ર છે. નિમિત્ત છે માટે ક્રોધ આવે છે-એમ નથી. દાકતર પોતાના કારણે આવે છે, જીવની ઈચ્છાને લીધે આવતો નથી. પૈસાની ક્રિયા પૈસાના કા૨ણે છે, જીવની ઈચ્છાને આધીન નથી.
અજ્ઞાની જીવ એમ માને છે કે બે પદાર્થો સાથે મળીને એક કામ કરે છે. બાઈએ ધ્યાન ન રાખ્યું માટે કઢી ઉભરાતી હશે ? ના. જડની ક્રિયા જડથી થાય છે. મૂર્ખ બાઈ માને છે કે હું ત્યાં હાજર હોત તો ચૂલામાંથી લાકડું કાઢી નાખત ને કઢી ઉભરાવા ન દેત, પણ એ માન્યતા મૂઢની છે. અજ્ઞાની માને છે કે હું વિચારક છું માટે જગતની વ્યવસ્થા કરી શકું છું. દેશનો, કુટુંબનો હું પ્રબંધક છું એમ માને છે તે મૂઢ છે. મૂર્ખથી જડની અવસ્થા બગડે છે ને ચતુરથી જડની અવસ્થા સુધરે છે એમ જે માને છે તે મિથ્યાદષ્ટિ છે. જીવનું ડહાપણ પૈસામાં કામ આવતું નથી. વેપારી મૂર્ખ છે માટે લક્ષ્મી આવતી નથી, ને ડાહ્યો છે માટે લક્ષ્મી આવે છે એમ માનવું તે મૂઢતા છે. તિજોરીને તાળાં મારે છે ત્યાં તાળાની પર્યાય અજીવની છે. જીવના કારણે તે નથી. ચોર તો ચોરવાનો ભાવ કરે છે; ને હાથમાં પિસ્તોલ રાખે છે તે જડની ક્રિયા છે. ચોરની ઈચ્છાને લીધે પિસ્તોલ ચાલતી નથી. પિસ્તોલની ક્રિયા જડના કા૨ણે છે, તેમાં ચોરનો દ્વેષભાવ નિમિત્તમાત્ર છે.
આમ નૈમિત્તિક દશા ને નિમિત્તની સ્વતંત્રતાની જેને ખબર નથી એટલે કે તેનું સાચું ભાવભાસન થયું નથી તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ. અજ્ઞાની કદાચ કહે કે જીવ-અજીવ જુદાં છે પણ તેને ભાવભાસન નથી. જીવ–અજીવને જાણવાનું પ્રયોજન એ જ છે કે જીવની પર્યાય જીવથી થાય છે, તેમાં અજીવ નિમિત્તમાત્ર છે–એમ ભાવભાસન થવું જોઈએ તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com