________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકના કિરણો જાણવું થાય તો શાસ્ત્રાનુસાર જાણી લે છે. પરંતુ પોતાને પોતારૂપ જાણી તેમાં પરનો અંશ પણ ન મેળવવો તથા પોતાનો અંશ પરમાં ન મેળવવો એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. પોતે પોતાને જાણતો નથી. હું જ્ઞાયક ચિદાનંદ છું, કર્મ-શરીરનો અંશ પોતામાં ન માનવો, શરીરની ક્રિયા મારાથી થાય છે, એમ ન માનવું. આત્માની ઈચ્છા કર્મને શરીરમાં કાર્યકારી નથી, ને પોતાની જ્ઞાનપર્યાય શાસ્ત્રમાં નથી-એમ ભેદજ્ઞાન કરતો નથી. હું ઈચ્છા કરું તો પરની દયા પળે છે એમ માનવાથી જીવનો અંશ અજીવમાં આવી જાય છે.
હવે કોઈ જીવ તત્ત્વોનાં નામ અધ્યાત્મશાસ્ત્ર અનુસાર જાણી લે પણ વાણીથી જ્ઞાન થાય છે એમ માની લે તો તે મિથ્યાદષ્ટિ છે. પરથી સમ્યગ્દર્શન થતું નથી, પોતાના આત્માની શ્રદ્ધાથી સમ્યગ્દર્શન થાય છે. હું છું તો કર્મ બંધાય છે તે વાત ખોટી છે. એક તત્ત્વ બીજા તત્ત્વમાં ભેળવે તો સાચું છે પણ તેવી ભિન્નતા ભાસતી નથી તેથી જીવ-અજીવની સાચી શ્રદ્ધા થતી નથી. જેમ અન્ય મિથ્યાષ્ટિ નિર્ધાર વિના પર્યાયબુદ્ધિથી જાણપણામાં વા વર્ણાદિકમાં અહંબુદ્ધિ ધારે છે, જાણપણું થાય છે તે પણ હું છું, શરીર વર્ણાદિ પણ હું છું, તે રાગાદિ પણ હું છું એમ બધાને એક માને છે; તેમ જૈનમાં જન્મીને એમ માને કે “હું ઉપદેશ આપું છું અથવા શરીરને ચલાવું છું” તો તે પણ જીવ-અજીવને એક કરે છે. ઉપદેશ ને શરીરની ક્રિયા તો જડની છે, તે ક્રિયા આત્મા કરી શકતો નથી છતાં તે પોતાથી થઈ એમ જે માને છે તે જીવ-અજીવની સાચી શ્રદ્ધા કરતો નથી તેથી મિથ્યાદષ્ટિ રહે છે.
ફાગણ સુદ ૧૫ શનિવાર, તા. ૨૮-૨-૫૩ અહીં વ્યવહારાભાસીનું નિરૂપણ ચાલે છે. જીવની ક્રિયા જીવમાં છે અને અજીવની ક્રિયા અજીવમાં છે, તેનું ભાન નથી તે મિથ્યાદષ્ટિ છે.
જેમ અન્યમતવાળો જીવ નિર્ણય વિના વર્તમાન અંશમાં દષ્ટિ કરે છે ને જાણપણા વિષે ને વર્ણાદિ વિષે અહંબુદ્ધિ ધારે છે, તેમ જૈનમાં જન્મીને એમ માને કે હું જ્ઞાનવાન છું ને ઉપદેશ પણ હું આપું છું; તે જીવ અને અજીવને એક માને છે. જ્ઞાન આત્માશ્રિત છે ને ઉપદેશ જડ-આશ્રિત છે એવી તેને ખબર નથી. વળી ઉપવાસ વખતે શરીરનું ક્ષીણ થવું અથવા ભોજનનું છૂટવું તે જડની ક્રિયા છે, છતાં તેને પોતાની માને છે તે વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com