________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૧૦૫ જડના કારણે બને છે, છતાં અજ્ઞાની માને કે મેં આટલાં મંદિર બનાવ્યાં, તે કર્તુત્વબુદ્ધિ બતાવે છે. આત્માના જ્ઞાનવાળો તેનું અભિમાન કરતો નથી.
જાણનાર તે કર્તા નહિ અને કર્તા તે જાણનાર નહિ જે જીવ જડની પર્યાયનો તથા રાગની પર્યાયનો પોતાને કર્તા માને છે તે મિથ્યાષ્ટિ છે, ને સમ્યજ્ઞાની જડની પર્યાયનો તથા અસ્થિરતાના રાગનો જાણનારો છે, ને પોતાને તેનો કર્તા માનતો નથી. જે પરની ક્રિયાનો કર્તા થાય છે તે જ્ઞાની નથી ને જે જાણનાર છે તે પરનો ને રાગનો કર્તા થતો નથી. આત્માનું ભાન થયું છે તેને દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપર ભક્તિનો ભાવ આવે છે તે શુભરાગ છે. જ્ઞાની સમજે છે કે પુણ્ય તે આસ્રવ છે. મકાનની ક્રિયા મેં કરી નથી. પુલ પરમાણુની જે પર્યાય જે ક્ષેત્રમાં, જે કાળમાં થવાની તે થવાની, તેમાં ફેરફાર કરવા ઈદ્ર કે નરેંદ્ર સમર્થ નથી.
વળી અજ્ઞાની હિંસાના પરિણામ કરે છે. ભગવાનની પૂજા પ્રસંગે ફૂલમાં ત્રની હિંસાનો તથા રાત્રિના સમયે દીવાબત્તીમાં જીવ મરે તેનો વિચાર કરવો જોઈએ. એ કાર્યો તો પોતાના વા અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કહ્યાં છે. વળી ત્યાં કિંચિત્ હિંસાદિક પણ થાય છે, પરંતુ ત્યાં અપરાધ થોડો હોય ને લાભ ઘણો થાય એમ કરવુ કહ્યું છે. અલ્પ સાવદ્ય હોય તો પૂજા ભક્તિ કરવા કહ્યું છે. હવે પરિણામોની તો ઓળખાણ નથી. અજ્ઞાનીને કેટલો નફો ને કેટલું નુકશાન આવે છે તે ખ્યાલ નથી. વેપારી વેપારમાં બધું ધ્યાન રાખે છે તેમ ધર્મકાર્યમાં નફા-નુકશાનનો ખ્યાલ કરવો જોઈએ. અજ્ઞાનીને નફા-તોટાનું કે વિધિ-અવિધિનું જ્ઞાન નથી. સમૂહું જાત્રામાં પરિણામ ઘણીવાર તીવ્ર આકુળતાવાળા થાય છે. ડુંગર ઉપર જાત્રા કરવા જાય ને થાકી જાય એટલે પરિણામ તીવ્ર કષાયના કરે છે, વિવેક કરતો નથી. પૂજા વિધિથી કે અવિધિથી કરે છે તેનું જ્ઞાન નથી. આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે તેવા ભાનપૂર્વક પોતાના પરિણામે તપાસવા જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com