________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬)
તત્વાર્થશ્રદ્ધાનનું અયથાર્થપણું ઉમાસ્વામી મહારાજે તત્ત્વાર્થસૂત્ર બનાવેલ છે. તેમાં તત્ત્વાર્થપ્રસ્થાન સભ્ય વર્શનમ્ સૂત્ર છે. તેમાં તત્ત્વ=ભાવ, અને અર્થ-પદાર્થ, (દ્રવ્ય, ગુણ પર્યાય ) પદાર્થના (એટલે કે દ્રવ્ય, ગુણ, પર્યાયના) ભાવનું યથાર્થ ભાન થવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. ત્યાં વ્યવહાર સમ્યગ્દર્શનની વાત નથી. આત્મદર્શન કહો કે તત્ત્વાર્થ શ્રદ્ધાન કહો તે એક જ વાત છે. માટે જે સાત તત્ત્વોને ભિન્નભિન્ન યથાર્થપણે શ્રદ્ધ તેને સમ્યગ્દર્શન હોય છે. જીવનો સ્વભાવ શાયક શુદ્ધ ચિદાનંદ છે, રાગ અને શરીરથી ભિન્ન છે. શરીર, કર્મ આદિ અજીવ છે, અને અજીવનો સ્વભાવ જડ છે. પુણ્ય-પાપના પરિણામ આસ્રવ છે, અને તેનો સ્વભાવ આકુળતા છે. મારો સ્વભાવ અનાકુળ આનંદ છે. વિકારમાં અટકવું તે બંધ છે. આત્માની શુદ્ધિ અર્થાત્ યથાર્થ રુચિ, જ્ઞાન ને રમણતા તે સંવર તત્ત્વ છે. શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા તત્ત્વ છે; અને સંપૂર્ણ શુદ્ધિ તે મોક્ષ છે. સાત તત્ત્વમાં જીવ અને અજીવ દ્રવ્ય છે; આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ પર્યાય છે. આમ સાત તત્ત્વના યથાર્થ અને પૃથક પૃથક ભાવનું શ્રદ્ધાન અને ભાન થવું તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. અજ્ઞાનીને આવું શ્રદ્ધાન અને ભાસન હોતું નથી.
મુનિનો શુભરાગ નિમિત્ત માત્ર છે, મુનિ ખરેખર શાસ્ત્રનાં કર્તા નથી. શુભરાગ આવે છે તે આસ્રવ છે તેને મુનિ જાણે છે. મુનિથી શાસ્ત્ર બન્યું એમ કહેવું તે નિમિત્તનું કથન છે. અજ્ઞાની શાસ્ત્રોમાં જેમ જીવાદિતત્ત્વ લખ્યાં છે તેમ પોતે શીખી લે છે, ત્યાં જ ઉપયોગ લગાવે છે, અને અન્યને ઉપદેશ આપે છે, પરંતુ પોતાને તત્ત્વનો ભાવ ભાસતો નથી, તેથી સમ્યકત્વ થતું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com