________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૧૯
અધિકાર સાતમો ] તો અતિવ્યાતિ દોષ આવે છે. અન્યમતવાળા પણ બાહ્ય બ્રહ્મચર્ય પાળે છે, માટે તે સાચું લક્ષણ નથી. જેને જ્ઞાતાદૃષ્ટાનું ભાન છે ને જે ૨૮ મૂળગુણનું પાલન કરે છે તે મુનિ છે. એષણા સમિતિમાં દોષ લગાવે તો ૨૮ મૂળગુણમાં દોષ છે.
मुनिव्रतधार अनंत वार ग्रीवक उपजायो। पै निज आतमज्ञान विन सुख लेश न पायो।।
મુનિવ્રત અનંતવાર ધારણ કર્યા પણ આત્મભાન વિના સુખ પામ્યો નહિ. માટે બાહ્ય શુભભાવથી ગુરુની પરીક્ષા કરે તો તે સાચી પરીક્ષા નથી.
ફાગણ સુદ ૧૨ બુધવાર, તા. ૨૫-૨-૧૩ વ્યવહાર સમિતિ તે આસ્રવ છે, તે આત્માનું સ્વરૂપ નથી. નિશ્ચય સમિતિ ને વ્યવહાર સમિતિ, નિશ્ચય ગુતિ ને વ્યવહાર ગુમિ એમ બે પ્રકાર છે. શુદ્ધ સ્વભાવમાં લીનતા એ જ નિશ્ચય ગુતિ છે ને એ જ નિશ્ચય સમિતિ છે. આત્મામાં લીન ન હોય ત્યારે જે શુભરાગ આવે ને અશુભથી બચે, તે વ્યવહાર ગુતિ છે; ને શુભમાં પ્રવૃત્તિ હોય તે વ્યવહાર સમિતિ છે. ગુરુના સ્વરૂપની ઓળખાણ નથી ને ગુરુની ભક્તિ કરીને ધર્મ માને છે તે મિથ્યાદષ્ટિ છે.
ગુરુનું સ્વરૂપ સમજ્યા વિના ગુરુ માનવા તે અજ્ઞાન છે
હવે જૈન સંપ્રદાયમાં જન્મીને કેટલાક જીવો આજ્ઞાનુસારી હોય છે. પરીક્ષા વિના સમ્યગ્દષ્ટિ થવાતું નથી. આ અમારા ગુરુ છે, એમ કહી તેની ભક્તિ કરે છે, પણ સાધુના સ્વરૂપની તેને ખબર નથી. આત્મભાન થયા પછી મુનિદશામાં પણ વ્યવહાર આવે છે. વ્યવહાર આવતો જ નથી એમ માને તો મિથ્યાદષ્ટિ છે. હવે કોઈ પરીક્ષા કરે છે તો “આ મુનિ દયા પાળે છે” એમ માની તેની ભક્તિ કરે છે. મુનિ ૪૬ દોષ રહિત આહાર લે છે. તેમાં પાંચ સમિતિના ભાવ આસ્રવ છે. ૨૮ મૂળ ગુણમાં જે સમિતિ છે તે આસ્રવ છે. નિર્વિકલ્પ આનંદ દશામાં લીન થવું તે નિશ્ચય સમિતિ છે.
સમિતિ તે આસ્રવ છે. પોતા માટે બનાવેલ આહારાદિ મુનિ લે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com