________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
ફાગણ સુદ ૧૩ ગુવાર, તા. ર૬-ર-પ૩ શાસ્ત્રભક્તિ સંબંધી અજ્ઞાનીની ભૂલ હવે અજ્ઞાનીની શાસ્ત્રભક્તિનું સ્વરૂપ કહીએ છીએ. કોઈ જીવ તો આ કેવળી ભગવાનની વાણી છે, કેવળી ભગવાનના પૂજ્ય પણાથી તેમની વાણી પણ પૂજ્ય છે એમ માની તેની ભક્તિ કરે છે. આત્મા ને જડની ભિન્નતાની તથા સાત તત્ત્વોની પૃથતાની ખબર નથી. એકલી વાણીની ભક્તિ કરે છે તો તે પુણ્ય પરિણામ છે, ધર્મ નથી.
પંચાસ્તિકાય ગાથા ૧૭ર ની ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્યે નિશ્ચયાભાસી ને વ્યવહારાભાસીનું વર્ણન કરેલ છે. પર્યાયમાં રાગદ્વેષ હોવા છતાં પર્યાયને પ્રગટ શુદ્ધ માની લે તે નિશ્ચયાભાસી છે. દેવ-ગુરુ-શાસ્ત્રની પરીક્ષા કર્યા વિના શુભરાગથી ધર્મ માને તે વ્યવહારાભાસી છે. જે જીવ પરીક્ષા વિના વાણીને પૂજ્ય માને છે તે મિથ્યાદષ્ટિ છે.
વળી કોઈ આ પ્રમાણે પરીક્ષા કરે છે કે અમારા શાસ્ત્રોમાં રાગ મંદ કરવાનું કહ્યું છે, પણ શાસ્ત્ર તો રાગરહિત જ્ઞાનસ્વભાવની પ્રતીતિ કરવાનું કહ્યું છે. રાગનો અભાવ કરવાનું કહ્યું છે તેને તે સમજતો નથી. કષાય મંદ કરે તે પુણ્ય છે, ધર્મ નથી.
વળી અમારાં શાસ્ત્રમાં જેવી દયા છે તેવી દયા બીજે નથી-એમ તે કહે છે; પણ પરની દયા જીવ પાળી શકતો નથી, પરની દયા પાળવાનો ભાવ તે પુણ્ય છે, ધર્મ નથી એમ શાસ્ત્ર કહે છે. અજ્ઞાની તેને સમજતો નથી. પોતાની પર્યાયમાં રાગની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. પરની દયાનો ભાવ નિશ્ચયથી હિંસા છે.
જીવો ને જીવવા દો' એમ અજ્ઞાની કહે છે. કોઈનું જીવન કોઈ પરને આધીન નથી. શરીર કે આયુષ્યથી જીવવું તે આત્માનું જીવન નથી. પોતાની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ સ્વભાવની દષ્ટિપૂર્વક થવા ન દેવા ને જ્ઞાતાદષ્ટા રહેવું એનું નામ જીવન છે.
જૈન આત્માનું સ્વરૂપ છે. જૈનશાસ્ત્ર પરની દયા પાળવાનું કહેતા નથી. અજ્ઞાની કહે છે કે નિગોદમાં અનંતા જીવો છે, બેઇન્દ્રિયાદિ જીવો અનેક છે, તેની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com