________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫) જૈનાભાસોની સુદેવગુરુશાસ્ત્રભક્તિનું મિથ્યાપણું ભગવાન ઇન્દ્રોથી પૂજ્ય છે, આકાશમાં વિચરે છે, તેમને પરમ ઔદારિક શરીર હોય છે-એ વાત તો બરાબર છે, પણ તે બધાં બાહ્ય લક્ષણો છે, તે તો દેહનું વર્ણન થયું, પણ ભગવાનના આત્માના ગુણોને ન ઓળખે, તો તે પણ મિથ્યાદષ્ટિ છે. પ્રવચનસારની ૮૦મી ગાથામાં કહ્યું છે કે
જે જાણતો અહંતને, ગુણ, દ્રવ્ય ને પર્યાયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ત્યાં તત્ત્વજ્ઞાનપૂર્વક અહંતદેવના દ્રવ્ય-ગુણ-પર્યાયની પરીક્ષા કરીને યથાર્થ જાણે અને પોતાના આત્માનો પણ એવો જ સ્વભાવ છે, એમ સ્વભાવ સન્મુખ થઈને નિર્ણય કરે, તેને પોતાના આત્માની ઓળખાણ થાય છે, તેનો મોહ (મિથ્યાત્વ) નાશ પામે છે અને તેને ક્ષાયિક સમ્યકત્વ થાય છે. અરિહંતોએ એ જ વિધિથી મોહનો નાશ કર્યો છે અને એવો જ ઉપદેશ આપ્યો છે કે-અમોએ જે રીતે મોહનો નાશ કર્યો તે રીતે તમે પણ એવો જ પુરુષાર્થ કરો તો તમારા મોહનો પણ નાશ થશે.
અહંત ભગવાન દેવ છે, ઈંદ્રાદિ દ્વારા પૂજ્ય છે, અનેક અતિશય સહિત છે, સુધાદિદોષ રહિત છે, શરીરની સુંદરતાને ધારણ કરે છે, સ્ત્રીસંગમાદિથી રહિત છે, દિવ્યધ્વનિ વડે ઉપદેશ આપે છે, કેવળજ્ઞાન વડે લોકાલોકને જાણે છે, તથા જેણે કામક્રોધાદિ નાશ કર્યા છે; ઈત્યાદિ વિશેષણ કહે છે, તેમાં કોઈ વિશેષણ તો પુદ્ગલાશ્રિત છે તથા કોઈ વિશેષણ જીવાશ્રિત છે; તેને ભિન્નભિન્ન ઓળખતો નથી. જેમ કોઈ અસમાનજાતીય મનુષ્યાદિ પર્યાયોમાં ભિન્નતા ન જાણી મિથ્યાદષ્ટિને ધારણ કરે છે તેમ આ પણ અસમાનજાતીય અહંતપર્યાયમાં જીવપુદગલના વિશેષણોને ભિન્ન ન જાણી મિથ્યાદષ્ટિપણું જ ધારણ કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com