________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪) જૈનાભાસી મિથ્યાદષ્ટિઓની ધર્મસાધના હવે જૈનાભાસી મિથ્યાદષ્ટિઓને ધર્મનું સાધન કેવું હોય છે તે અહીં વિશેષ દર્શાવીએ છીએ.
કેટલાક જીવો કુળપ્રવૃત્તિથી ધર્મસાધના કરે છે. એક કરે તો બીજો કરે; તથા લોભના અભિપ્રાયથી ધર્મસાધના કરે તેમને તો ધર્મદષ્ટિ જ નથી. ભગવાનની ભક્તિ કરવા વખતે ચિત્ત ક્યાંય ફર્યા કરે છે, પોતાના પરિણામનું ઠેકાણું નથી ને મુખથી પાઠો બોલે; પણ પરિણામ ખરાબ થાય છે. તેથી તેને પુણ્ય પણ નથી. ને ધર્મ તો નથી જ. દુકાનનો વિચાર આવે, સુંદર સ્ત્રીઓને જોયા કરે તો તેને ધર્મ નથી, તે અશુભ ઉપયોગી છે. “હું કોણ છું” તેનો વિચાર કરતો નથી. પાઠ બોલી જાય પણ અર્થની ખબર નથી. ભગવાનની ભક્તિમાં વિચાર કરવો જોઈએ કે આ કોણ છે? વીતરાગદેવ છે તે કોઈને કાંઈ દેતા લેતા નથી. સ્તવનમાં આવે કે શિવપુર અમને દેજો,’ તો શું તારો મોક્ષ ભગવાન પાસે છે? ના. વળી કહે કે “હું ભગવાન! તમે કરો તે ખરૂં.” તો શું ભગવાન તારી પર્યાયનો કર્તા છે? તેમ માનનાર મિથ્યાષ્ટિ છે. ભગવાન કોઈને ડુબાડતા નથી તેમજ તારતા નથી. ભગવાન માત્ર સાક્ષી છે. કેવળજ્ઞાની છે.
હું કોણ છું, તેની ખબર નથી; કોની સ્તુતિ કરે છે તથા શું પ્રયોજન અર્થે સ્તુતિ કરે છે. તેની ખબર નથી. સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ થઈ ગયા, હું પણ પુરુષાર્થથી સર્વજ્ઞ થઈશ, પણ શુભરાગ આવે છે તેથી લક્ષ જાય છે; એવી જેને ખબર નથી તેને વીતરાગની ખબર નથી. ‘મારુ વોદિ નામ' એમ પાઠ બોલે પણ અર્થની ખબર નથી. હે નાથ ! પુણ્ય-પાપરૂપ પરિણામ તે રાગ છે, નીરોગસ્વરૂપ આનંદકંદ વસ્તુ આત્મા છે, તેની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રરૂપી નીરોગીતાનો લાભ મને મળો. હું શક્તિએ નીરોગ સ્વરૂપ છું પણ પર્યાયમાં આપના જેવી નીરોગતા મને પ્રાપ્ત થાઓ, એમ ભાવના ભાવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com