________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો] .
[૮૫ મોક્ષમાર્ગ સન્મુખ કરવા માટે તેની શુભરૂપ મિથ્યાપ્રવૃત્તિનો નિષેધ કરીએ છીએ આત્માનું ભાન નથી ને શુભથી ધર્મ માની સંતુષ્ટ થાય છે તેથી તેની પ્રવૃત્તિ મિથ્યા છે. નિશ્ચયના ભાન વિના વ્યવહાર પણ રહેતો નથી. અમારો આશય એવો નથી કે શુભ છોડીને અશુભ કરો. જો તેમ તમો કરશો તો તમારું બૂરું થશે, પણ યથાર્થ શ્રદ્ધા કરશો તો કલ્યાણ થશે. આત્માનો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ છે એવી યથાર્થ શ્રદ્ધા કરશો તો તમારું ભલું થશે. પુણ્ય છોડી પાપમાં લાગશો તો ભલું થશે નહિ તે પુણ્યને ધર્મ માનશો તોપણ ભલું થશે નહિ. સ્વભાવની દષ્ટિમાં ધર્મ છે.
“આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.' પુણ્યથી ને પરથી કલ્યાણ થશે એ મોટી ભ્રાંતિ છે. શરીરનો રોગ પુણ્યથી મટી જાય છે પણ તે ખરો રોગ નથી. ચિદાનંદ આત્મામાં વિકાર થાય છે, તે વિકારથી કલ્યાણ થશે તેવી માન્યતા છે ખરો મોટો રોગ છે, તે ક્ષયરોગ છે; માટે યથાર્થ શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તશો તો તમારું ભલું થશે. અહીં દષ્ટાંત આપે છે કે જેમ કોઈ રોગી નિર્ગુણ ઔષધિનો નિષેધ સાંભળી ઔષધિસાધન છોડી, જો કુપથ્થસેવન કરે તો તે મરે છે. સાચા વૈદ્યને છોડી કુપથ્થસેવન કરશે તો મરશે, તો તેમાં વૈદ્યનો દોષ નથીઃ તેમ કોઈ સંસારી જીવ પુણ્યરૂપ ધર્મોના નિષેધ સાંભળી ધર્મસાધન છોડી વિષયકષાયરૂપ પ્રવર્તશે તો નરકાદિ દુઃખને પામશે. આત્મામાં થતી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રદશા આત્માને લાભકર્તા છે. પણ પરિણામ નિર્ગુણ છે, લાભકર્તા નથી, બંધનું કારણ છે; તેનાથી જન્મ-મરણનો અંત આવતો નથી. શુદ્ધ ચિદાનંદની દષ્ટિ વિના ધર્મ થતો નથી. પુણ્યને નિર્ગુણ ઔષધિ કહેલ છે. પર્યાયમાં પુણ્ય થાય છે તે વિપરિત પરિણામ છે, તેનાથી આત્માને લાભ થતો નથી; તે નિર્ગુણ ઔષધિ છે, કારણ કે પુણ્યથી ધર્મરૂપી ગુણ થતો નથી.
પુણ્યથી સ્વર્ગમાં જઈ સીમંધર પરમાત્મા પાસે જશું, એમ માનનારની દષ્ટિ સંયોગ ઉપર છે; ત્યાં જઈને તે જ બુદ્ધિ રાખવાનો છે. શુદ્ધ ચિદાનંદની દૃષ્ટિ કરી નહિ તેથી સમવસરણમાં જવા છતાં ભગવાનની વાણીનું રહસ્ય સમજ્યો નહિ. પુણ્ય છોડાવી પાપ કરાવવાનો અભિપ્રાય નથી. અજ્ઞાની પુણ્યથી ધર્મ માને છે તેથી પુણ્યનો ધર્મના કારણ તરીકે નિષેધ કર્યો છે. કોઈ વિપરીત સમજે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com