________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૭
અધિકાર સાતમો] જૈનધર્મની વિશિષ્ટતા શું? કહ્યું છે કે
लोयम्मि रायणीई णायं ण कुलकम्म कझ्यावि। किं पुण तिलोयपहुणो जिणंदधम्मादिगारम्मि।।
લોકમાં એવી રાજનીતિ છે કે કુળક્રમ વડે કદી પણ ન્યાય થતો નથી. જેનું કુળ ચોર છે તેને ચોરીથી પકડે છે ત્યાં કુળક્રમ જાણી તેને છોડતા નથી પણ દંડ જ દે છે. તો સર્વજ્ઞ ભગવાનના ધર્મના અધિકાર વિષે શું કુળક્રમાનુસાર ન્યાય સંભવે છે? જૈનકુળમાં જન્મ લઈને જૈનધર્મની પરીક્ષા કરતો નથી તે વ્યવહારાભાસી છે. જૈનધર્મમાં પરીક્ષા કરવી જોઈએ. બાપ ગરીબ હોય ને પોતે પૈસાવાળો થાય તો બાપ ગરીબ હતો માટે પૈસા છોડી દેતો નથી. વ્યવહારમાં કુળનું પ્રયોજન નથી તો પછી ધર્મમાં કુળનું પ્રયોજન શું છે? પિતા નરકમાં જાય ને પુત્ર મોક્ષમાં જાય, તેમાં કુળની પરંપરા કેવી રીતે રહી? કુળક્રમની પરંપરા હોય તો પિતા પાછળ પુત્રને પણ નરકમાં જવું પડે, પણ તેમ બનતું નથી, માટે ધર્મમાં કુળક્રમની જરૂર નથી.
અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે જીવે પરીક્ષાપ્રધાની થવું જોઈએ. એકલા આજ્ઞાપ્રધાનીપણા વડે ન ચાલે. ઘણાં કહે છે કે નિમિત્તથી ધર્મ થાય, વ્યવહારથી ધર્મ થાય માટે અમે માનીએ છીએ પણ તેમ ન ચાલે. પરીક્ષા કરવી જોઈએ.
વળી શાસ્ત્રોના અન્ય-વિપરીત અર્થ લખે તે પાપી છે. દિગમ્બર શાસ્ત્રના નામે દેવીની પૂજા કરવી, ક્ષેત્રપાળની પૂજા કરવી તે વિપરીત પ્રવૃત્તિ છે. પાપી પુરુષોએ કુદેવની પ્રરૂપણા કરી છે. જેને આત્માનું ભાન નથી તથા ઉદ્દેશીક આહાર લે છે, મુનિ માટે ખાસ પાણી ઉનાં કરવાં, કેળાં, મોસંબી વગેરે લાવવાં તે ન્યાય નથી. આહાર દેનાર ને લેનાર બન્નેની ભૂલ છે. આવો ઉદેશિક આહાર લેવા છતાં મુનિપણું માને તે મિથ્યાદષ્ટિ છે. અજ્ઞાનીઓએ આવી પ્રવૃત્તિ ચલાવી છે. નિગ્રંથ મુનિને સહજ નગ્નદશા હોય છે. તેઓ નિર્દોષ આહાર લે. પ્રાણ જાય છતાં દોષવાળો આહાર ન લે એ મુનિની રીત છે; છતાં મુનિનું સ્વરૂપ ન સમજે ને ઉદ્દેશિક આહાર લે તે સાચા ગુરુ નથી. આમ વિષય-કષાય પોષણાધિરૂપ વિપરિત પ્રવૃત્તિ ચલાવી હોય તેને છોડી દેવી જોઈએ. દિગમ્બર જૈન ધર્મમાં જન્મવા છતાં કુદેવ, કુગુરુની માન્યતા ચલાવી હોય તો તે માન્યતા છોડી દેવી. વ્યવહારથી ધર્મ મનાવ્યો હોય તો તે કુધર્મ છે. તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com