________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩) કેવળ વ્યવહારાવલંબી જૈનાભાસોનું નિરૂપણ
મહા વદ ૧૩ ગુસ્વાર તા. ૧૨-૨-૫૩ [બહારગામના મહેમાનો આવવાથી ખાસ કરીને નિશ્ચય-વ્યવહારના સ્વરૂપ ઉપર વ્યાખ્યાન થયેલ હતું]
લગભગ સાડાત્રણસો વર્ષ પહેલાં શ્વેતામ્બર ઉપાધ્યાય યશોવિજયજી થઈ ગયા. તેમણે દિકપટના ચોરાશી બોલમાં દિગંબરની ૮૪ ભૂલ કાઢી છે. તે કહે છે કે- “દિગમ્બર લોકો નિશ્ચય પહેલાં કહે છે તે દિગમ્બરની ભૂલ છે. પરંતુ તેની તે વાત બરાબર નથી. રાગ-વ્યવહારને અભુતાર્થ કરીને સ્વભાવને ભુતાર્થ કરવો જોઈએ. હું જ્ઞાયકસચ્ચિદાનંદ છું એમ નક્કી કરતાં રાગબુદ્ધિ ને પર્યાયબુદ્ધિ ઊડી જાય છે. તે કહે છે કે “દિગમ્બરો નિશ્ચય પહલો કહે છે પણ વ્યવહાર પહેલો હોવો જોઈએ; પણ તે ભૂલ છે. સામાન્ય સ્વભાવ પરિપૂર્ણ છે તેની શ્રદ્ધા કરવી તે નિશ્ચય છે. અધૂરી દશામાં શુભરાગ આવે છે પણ તેને જાણવો તે વ્યવહાર છે. જ્ઞાનાનંદ સ્વભાવની દષ્ટિ થયા વિના રાગને વ્યવહાર કહેનાર કોણ છે? સમ્યજ્ઞાન વિના કોણ નક્કી કરશે? આત્મા જ્ઞાયક છે. રાગાદિ મારું ખરું સ્વરૂપ નથી. એવું ભાન થયા પછી રાગને વ્યવહાર કહે છે.
- મિથ્યાષ્ટિ શુભરાગથી લાભ માને છે. તેના શુભરાગને વ્યવહાર કહેતા નથી. શુદ્ધ આત્માના લક્ષે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ને શુક્લધ્યાન આદિની પર્યાય પ્રગટે છે. છયે દ્રવ્યો સ્વતંત્ર છે એમ સમજવું જોઈએ. વળી જીવમાં થતી પર્યાય ક્ષણિક છે તે ઉત્પાદ-વ્યયરૂપ છે. ધર્મ પર્યાયમાં થાય છે પણ પર્યાયના આશ્રયે ધર્મ થતો નથી. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો શુભ રાગ આવે તેના આધારે ધર્મ નથી. તેનું પણ લક્ષ છોડી શુદ્ધ સ્વભાવના આશ્રયે ધર્મ પ્રગટાવે તે નિશ્ચય છે; માટે નિશ્ચય પ્રથમ હોય છે. આવું નિશ્ચયનું ભાન હોય તેવા ધર્મી જીવના શુભરાગને વ્યવહાર કહે છે. યશોવિજયજી કહે છે તે યથાર્થ નથી. આવી રીતે વ્યવહાર પહેલાં કહીને બે હજાર વર્ષ પહેલાં શ્વેતાંબર મત નીકળ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com