________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૫૯
અધિકાર સાતમો ] વ્યવહારનયનો વિષય છે, ને અવ્યકત રાગાદિ અસદભૂત અનુપચરિત વ્યવહારનયનો વિષય છે. જ્ઞાની તેને જાણે છે. અહીં કહે છે કે અશુભ પરિણામમાં તીવ્ર ઉલટો પુરુષાર્થ છે, ને શુભ પરિણામમાં મંદ ઉલટો પુરુષાર્થ છે; ને શુદ્ધ પરિણામમાં સવળો પુરુષાર્થ છે. અજ્ઞાની શુભ પરિણામને ધર્મ માને છે અથવા કર્મથી વિકાર થયો માને છે અથવા શુભ પરિણામ આવતા જ નથી એમ માને છે. તે બધી ભૂલ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com