________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮]
[શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો મુનિઓને પણ છઠે ગુણસ્થાને શુભ વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. ધર્મની પૂર્ણ પર્યાય પ્રગટી નથી તેને વિકલ્પ ન આવે-એમ બને નહિ.
વળી તે દ્રવ્ય-ગુણ-પર્યાયના, ગુણસ્થાન-માર્ગણાસ્થાનના અને ત્રિલોકાદિના વિચારોને વિકલ્પ ઠરાવે છે. અહીં માર્ગણા કહી છે તે ભાવમાર્ગણા છે, કેમ કે જીવના સ્વરૂપની એ વાત છે. અને તે સમજતો નથી. અહીં કહે છે કે સમ્યજ્ઞાનચારિત્રનો લાભ તો આત્માથી થાય છે; જડથી થતો નથી. ગુરુ પાસેથી જ્ઞાન આવતું નથી પણ પૂર્ણ જ્ઞાન થયું તેને શાસ્ત્રાભ્યાસનો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. શાસ્ત્રમાં આવે છે કે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદનો વિચાર કરવો તે કર્તવ્ય નથી; ત્યાં તો ભેદ પાડીને વિચાર કરતાં રાગી જીવને વિકલ્પ ઊઠે છે, તેથી એનો નિષેધ કર્યો છે, પણ એનો અર્થ એવો નથી કે સાધકદશામાં એવો વિકલ્પ આવતો જ નથી. સાધકદશામાં એવો વિકલ્પ આવ્યા વિના રહે નહિ.
ગુણસ્થાન-માર્ગણાસ્થાન વગેરેનો વિકલ્પ અમારે કરવો નથી, એમ તે માને છે, પણ સાધકદશામાં તે આવ્યા વિના રહેતો નથી, તેમ તે સમજતો નથી. નિશ્ચયાભાસી તપશ્ચરણ કરવાને વૃથા કલેશ કરવો માને છે. ધર્માત્માને સ્વભાવના લક્ષે જેટલે અંશે અકષાય-વીતરાગી દશા પ્રગટી છે તેટલે અંશે આહાર આદિનો વિકલ્પ છૂટી જાય છે, અને તે સમજતો નથી. એ રીતે તપશ્ચરણના સ્વરૂપને સમજતો નથી, તેથી તે તેને કલેશ કહે છે. વળી તે વ્રતાદિ કરવા તેને બંધનમાં પડવું ઠરાવે છે; તે ખોટું છે, કેમ કે ભગવાનની પૂજા વગેરે છાંડવા યોગ્ય છે-એમ જાણીને શુભમાં વર્તતો નથી અને અશુભમાં વર્તે છે. શુદ્ધતામાં આવતો હોય તો તે શુભભાવનો નિષેધ બરાબર છે, પણ આ તો સ્વરૂપની દષ્ટિપૂર્વક સ્થિરતા કરતો નથી અને પ્રમાદી થઈને અશુભમાં વર્તે છે. તે નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ છે.
- હવે તે વાતનો વિશેષ ખૂલાસો કરે છે કે શાસ્ત્રાભ્યાસ તો મુનિને પણ હોય છે. છઠું-સાતમું ગુણસ્થાન એક દિવસમાં અનેકવાર આવે છે; એવી દશાને મુનિપણું કહેવાય છે. ઘડીમાં સાતમું ગુણસ્થાન આવી જાય છે, અને ઘડીમાં વિકલ્પ આવે ત્યારે છઠું. છઠા ગુણસ્થાનમાં શાસ્ત્રાભ્યાસ વગેરે કરે છે એવો માર્ગ છે; એને તો અજ્ઞાની નિશ્ચયાભાસી સમજતો નથી, છઠા ગુણસ્થાનની સ્થિતિ અમુક અંતર્મુહુર્તની ભગવાને જોઈ છે. ભગવાને જોઈ છે એટલી છઠા ગુણસ્થાનની પૂરી સ્થિતિ કોઈ મુનિ ભોગવે તો તે મિથ્યાદષ્ટિ થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com