________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [ ૨૭ નિમિત્તથી આત્મા વિકાર અને ક્ષેત્રોતરની ક્રિયા ધારણ કરે છે એમ કહેલ છે; એમાં આત્માની યોગ્યતા વખતે આવું નિમિત્ત હોય છે એવું જ્ઞાન કરાવે છે. નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ કે જે નિમિત્તને માનતો જ નથી, તેને અપેક્ષાથી કહેલ છે; પણ તેથી નિમિત્તના કારણે આત્માની અવસ્થા થાય છે, એમ નથી. માટે આત્માને સર્વથા નિબંધ માનવો તે ભ્રમણા છે-એમ કહેલ છે.
ત્યારે હવે પ્રશ્ન કરે છે કે-અમારે તો બંધ-મોક્ષનો વિકલ્પ કરવો નથી, કારણ કે, શાસ્ત્રમાં કહ્યું છે કે નો વંધ૩, મુB૩ સો વંધરું ત્મતિ અર્થ-જે જીવ બંધાયો તથા મુક્ત થયો માને છે તે નિઃસંદેહ બંધાય છે.'
एक देखिये जानिये, रमि रहिये इक ठौर।
समल विमल न विचारिये। यहै सिद्धि नहि और।। -એમ કહેલ છે, માટે અમારે બંધ મોક્ષનો વિચાર જ કરવો નથી.
ઉત્તર:- જે જીવ કેવળ પર્યાયદષ્ટિ થઈ બંધ-મુક્ત અવસ્થાને જ માને છે, એકલી પર્યાયને માને છે અને દ્રવ્યસ્વભાવને ગ્રહણ કરતો નથી, એને માટે કહેલ છે; અને એને ઉપદેશ આપ્યો છે કે-દ્રવ્યસ્વભાવને નહિ જાણતો એવો જીવ બંધાયો-મુક્ત થયો માને છે તે જ બંધ છે. જો સર્વથા બંધ જ ન હોય તો આ જીવ બંધાયો છે એમ શા માટે કહેવાય છે? સામાન્ય જીવસ્વભાવને માનતો નથી તે એકલો પર્યાયદષ્ટિ છે. તેને બંધ થયા વિના રહેતો નથી; કેમ કે બંધના નાશનું કારણ તો ત્રિકાળ જ્ઞાયક એકરૂપ સ્વભાવ છે. તે ત્રિકાળી સ્વભાવમાં બંધ-મોક્ષ એવા બે પ્રકાર છે જ નહિ, પણ એથી કરીને પર્યાયમાં અનેકતા નથી જ-એમ નથી. એકાંત દ્રવ્યસ્વભાવને માને અને પર્યાયને માને જ નહિ તો તે મિથ્યાદષ્ટિ છે. જો વર્તમાન પર્યાયમાં સર્વથા બંધ-મોક્ષ ન જ હોય એટલે બંધ છે એનો અભાવ કરીને મોક્ષ થાય છે એમ ન માનીએ તો એ જીવ “બંધ છે” એમ શા માટે કહે છે? અને બંધના નાશનો તથા મુક્ત થવાનો ઉધમ પણ શા માટે કરવામાં આવે છે? માટે પર્યાયમાં વિકાર અને બંધ છે એમ માનવું જોઈએ. ત્રિકાળી સ્વભાવને મુખ્ય કરી બતાવતાં, પર્યાયને ગૌણ કરી, વ્યવહાર કહીને અભાવ છે-એમ કહેલ છે. જો પર્યાયમાં બંધ ન હોય તો બંધનો નાશ અને મોક્ષનો ઉત્પાદ કરવાનો ઉપાય શા માટે કરવો જોઈએ? અને આત્માનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com